________________
હિતને રોકનાર એટલે વંચક હતા. હવે મોહનીય કર્મના ક્ષયોપશમને કારણે આ જ યોગ-ક્રિયા અને ફળ આત્માના હિત માટે સહાયક એટલે અવંચક બને છે. જે કારણો કર્મબંધનનાં હતાં એ જ કર્મક્ષયનાં કારણ બને છે. અવંચક ત્રણ યોગઅવંચક, ક્રિયાઅવંચક અને ફળઅવંચકની પ્રાપ્તિ થાય છે. . શુભ નિમિત્તોનો યોગ થાય છે જે આત્માને ક્રમશઃ ગ્રંથિભેદ પાસે લઈ જાય છે. ગ્રંથિ એટલે રાગદ્વેનું અત્યંત તીવ્ર પરિણામ. જૈન સિદ્ધાન્ત પ્રમાણે તેનો ભેદ ક૨વાથી જીવ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરે છે. ગ્રંથિ પહેલે ગુણસ્થાને હોય છે. તેનું ભેદન કરવાથી અર્થાત્ ગ્રંથિભેદ કરવાથી જીવ ચોથે ગુણસ્થાને પહોંચે છે, જે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે. અર્થાત્ મોક્ષ જવાનું બીજ અહીંથી રોપાય છે.
જૈન શાસ્ત્રોમાં જીવનો આધ્યાત્મિક વિકાસ જે ૧૪ ગુણસ્થાનકના માધ્યમથી દર્શાવવામાં આવ્યો છે તે જ અહીં આઠ દૃષ્ટિના સ્વરૂપે બતાવેલો છે. ૧૪ ગુણસ્થાનકમાંથી જે પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક છે જે સમ્યક્ત્વ પ્રાપ્તિના પૂર્વેનું હોય છે અને અપુનર્બંધક જીવોને હોય છે તે તાત્ત્વિક રીતે આ મિત્રાદૃષ્ટિવાળા જીવોથી એટલે કે પ્રથમ દૃષ્ટિથી ચોથી દૃષ્ટિ સુધી હોય છે. અને ૧થી ચોથી દૃષ્ટિ સુધી આ મિથ્યાત્વ મંદ મંદ થતું જાય છે. મિત્રાદૃષ્ટિથી આત્માનો વિકાસ ચાલુ થાય છે. આ પ્રથમ દૃષ્ટિમાં જીવ માર્ગાભિમુખ કહેવાય છે. કારણ કે અનાદિકાળથી આ સંસારચક્રમાં રખડતો જીવ તત્ત્વવિચારણાવાળો થયો છે. સંસાર તરફથી દૃષ્ટિ ફે૨વી મોક્ષ ત૨ફ કેળવી છે. એટલે તે માર્ગને અભિમુખ એટલે કે સન્મુખ થયો છે.
૨. તારા દૃષ્ટિ : આ બીજી યોગદૃષ્ટિમાં પ્રથમ મિત્રાદ્દષ્ટિની અપેક્ષાએ થોડો વિકસિત સ્પષ્ટ બોધ હોય છે જેને શાસ્ત્રકારોએ છાણના અગ્નિકણની ઉપમા આપી છે. જોકે બંને દૃષ્ટિમાં બોધ મંદ વીર્યવાળો અને અલ્પજીવી જ હોય છે તેથી તીવ્ર સંસ્કાર જન્માવતો નથી. હેય-ઉપાદેયના વિવેકરૂપી બોધ ઝાંખો ઝાંખો હોય છે.
તારાદૃષ્ટિમાં આઠ યોગાંગમાંથી નિયમ નામનું બીજું યોગાંગ હોય છે. ખેદ વગેરે આઠ દોષમાંથી ઉદ્વેગ નામનો બીજો દોષ નાશ પામે છે. અને આઠ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૨૨