________________
ગુણોમાંથી તત્ત્વવિષયક જિજ્ઞાસા ગુણ પ્રગટે છે.
મિત્રાદૃષ્ટિમાં યમ નામનો પ્રથમ યોગાંગ હોય છે. અહીંયમ સહિત નિયમ હોય છે. યમ એટલે પંચ મહાવ્રત જેને મૂળગુણ કહેવામાં આવે છે. નિયમ એ મહાવ્રતોને પોષક એવા ઉત્તરગુણો છે. મિત્રા દૃષ્ટિમાં કેવળ મૂળ ગુણોનો જ સ્થળ કક્ષાનો બોધ હતો. તારાદૃષ્ટિમાં મૂળગૂણોનો લોબો મિત્રાદૃષ્ટિ કરતા વિશેષ પ્રકારનો અને વધારે સૂક્ષ્મ હોય છે. અને સાથે ઉત્તરગુણોનો પણ બોધ હોય છે. અહીં ઉત્તરગુણરૂપ નિયમનું પાલન છે. ‘પાતંજલ યોગદર્શન’માં આ પાંચ નિયમ બતાવ્યા છે -
शौचसन्तोषतप: स्वाध्यायेश्वर प्रणिधानानि नियमाः ।। २.३२।।
શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વપ્રણિધાન આ પાંચ નિયમ કહ્યા છે. (૧) શૌચઃ એટલે પવિત્રતા, સ્વચ્છતા. તેના બે પ્રકાર છે.
(અ) દ્રવ્યશૌચ - પાણી વગેરે દ્વારા દેહની મલિનતા દૂર કરવી તે.
(બ) ભાવશૌચ - મૈત્રી વગેરે ભાવના દ્વારા ચિત્તની મલિનતા દૂર કરવી. (૨) સંતોષ ઃ નિર્લોભીપણું જે કાંઈ પ્રાપ્ત થયું હોય તેમાં સંતોષ માનવો. (૩) તપ કર્મને તપાવે તે તપ. એ બે પ્રકારનાં છે.
(અ) બાહ્ય તપ- જે આહારના ત્યાગરૂપ છે; જેમ કે, ઉપવાસ, ઉણોદરી વગેરે. બાહ્ય તપ અત્યંતર તપની પુષ્ટિ કરનાર છે. (બ) અત્યંતર તપ - વિષયકષાયોને દબાવવા એ અત્યંતર તપ, પ્રાયશ્ચિત્ત,
વિનય, વૈયાવચ્ચ વગેરે. (૪) વાધ્યાયઃ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો. ‘%'કારપૂર્વક મંત્રનો જાપ કરવો. (૫) ઈશ્વરપ્રણિધાન : પરમાત્મસ્વરૂપનું ચિંતન, ધ્યાન, સ્મરણ.
આ પાંચ નિયમો છે જે પાંચ યમ માટે મદદગાર ઉત્તરગુણરૂપ છે. તારાદષ્ટિમાં ‘ઉદ્વેગ' દોષનો અભાવ હોય છે. ઉદ્વેગ એટલે કંટાળો, યોગમાર્ગની શરૂઆત થઈ છે. યોગમાર્ગમાં તપ-ત્યાગ-સંયમ આદિ ધર્મકાર્યમાં રુચિ હોય પણ તે કરતાં કરતાં જ્યારે તેમાં કંટાળો આવે તે ઉદ્વેગ છે. તારાદૃષ્ટિ પ્રાપ્ત થયેલ યોગીઓએ ખેદ અને ઉદ્વેગ આ બંને દોષનો નાશ કર્યો હોય છે. તેથી
‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
૧૨૩