SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે તે કદી દુર્ગતિ ન પામે. જેનો યોગ વચ્ચેથી અધૂરો રહ્યો હોય તેવો સાધક ઉત્તમ કુળમાં જન્મ લઈ પૂર્વસંસ્કારના બળે યોગઅભ્યાસ પૂર્ણ કરી પૂર્ણ સિદ્ધિ પામે છે. पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते । न हिं कल्याणकृत्कश्चिदुर्गति तात गच्छति ।।६.४०।। प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वती: समाः । शुचीनां श्रीमतां गेहै योगभ्रष्टोऽभिजायते ।।६.४१।। अथवा योगिनामेव कुले भवति धीमताम् । एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ।।६.४२।। तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् । यतते च ततो भूयः संसिध्दौ कुरुनन्दन ।।६.४३।। पूर्वाभ्यासेन तेनैव हियते हृवशोऽपि सः । जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ।।६.४४।। પ્રયત્નાદ્યતમાનતુ યોગી સં. 10. આજ્ઞાયોગ - આચાર્ય હરિભદ્રસૂરિના યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ ત્રણ યોગોનું નિરૂપણ કર્યું છે. તેમાં જે શાસ્ત્રયોગ છે એ શબ્દનો જે અર્થ ગ્રંથકારે દર્શાવ્યો છે તે જ અર્થ અહીં આજ્ઞાયોગનો છે. ઇચ્છાયોગ કરતાં શાસ્ત્રયોગ ઉત્તમ અને શાસ્ત્રયોગથી સામર્થ્યયોગ ઉત્તમ. શાસ્ત્રશ્રવણ કરેલો જ્ઞાની પુરુષ હોય, તે શાસ્ત્રાનુસારી આચરણ કરવા ઇચ્છતો હોય છતાં પ્રમાદને લીધે તેનું ધર્મજીવન અણીશુદ્ધ ન રહે ત્યારે તે જીવન ઇચ્છાયોગ કહેવાય. જ્યારે શાસ્ત્રનું રહસ્ય બુદ્ધિની તીવ્રતાથી સમજાયું હોય, શ્રદ્ધા પણ દૃઢ હોય, આપ્તપુરુષોના વચનો પ્રત્યે પૂર્ણ આદર હોય ત્યારે પ્રમાદ તજીને જે અતિચારરહિત આચરણ થાય તે શાસ્ત્રયોગ કહેવાય અને શાસ્ત્રના કે અન્ય બાહ્ય અવલંબનના ટેકા સિવાય આંતરિક શુદ્ધિના બળથી જ જે સહજ શુદ્ધ ધર્મજીવનનું આચરણ થાય એ સામર્મયોગ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન ૧૦૩
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy