SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાયોગ : શ્રી ઉપદેશપદ, ગાથા નં. ૨૪૧ આસવનો સર્વથા ત્યાગ અને સંવરનો સ્વીકાર એ જ જિનાજ્ઞા છે. તેના સાદર પાલનથી જ સાધ્યમોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. તત્ત્વાર્થસૂત્ર - શુક્લધ્યાનના ચાર ભેદો - પૃથકત્વ વિતર્ક (સવિચાર), એકત્વ વિતર્ક (અવિચાર), સૂક્ષ્મક્રિયાડ પ્રતિપાતી અને ચુપરત ક્રિયાનિવૃત્તિ એ ચાર શુક્લધ્યાનના ભેદો છે. શુક્લધ્યાનનો બીજો ભેદ એકત્વ વિતર્ક અવિચાર છે. શુક્લધ્યાનના આ ભેદમાં દ્રવ્યપર્યાયનું અભેદરૂપે ચિંતન હોય છે. આ ધ્યાનના પ્રભાવથી સાધક અરિહંત અવસ્થા પ્રાપ્ત કરી કેવળજ્ઞાન, કેવલદર્શનનો સ્વામી બને છે. 11. મોક્ષ એ કર્મરહિત અવસ્થા છે અને તે મહાનંદ સ્વરૂપ છે. દ્રવ્યથી કરહિત અવસ્થા તે મોક્ષ છે. કારણ કે આત્માથી ભિન્ન એવાં કર્મ અને શરીરાદિ પદાર્થથી મુક્તિ તે મોક્ષ છે. અને ભાવથી પર પદાર્થને આશ્રયીને આત્મામાં ઉત્પન્ન થતા કષાયાદિ ભાવો, તેનાથી મુક્તિ તે મોક્ષ છે. દ્રવ્ય અને ભાવ ઉભયરૂપ મોક્ષ સિદ્ધ અવસ્થામાં છે, જે મહાનંદસ્વરૂપ છે. યોગવિંશિકા વિવેચન', વિવેચનકાર - પ્રવીણભાઈ મોતા પૃ.૨ 12. યોગવિંશિકા વિવેચન ૫. અભયશેખરગણિ પૃ.૫૧ 13. વર્મજ્ઞાનવિમેન્ટેન સ દિથી તત્ર દાડમિ: | आवश्यकादि विहित क्रियारुपः प्रकीर्तितः ।।४९६।। અધ્યાત્મસાર અર્થ : કર્મ અને જ્ઞાનના ભેદને લીધે યોગ બે પ્રકારનો છે. (કર્મયોગ અને જ્ઞાનયોગ) તેમાં કર્મયોગ એ આવશ્યકાદિ ક્રિયા કરવારૂપ કહ્યો છે. शारीरस्यंदकर्मात्मा यदयं पुण्यलक्षणम् । कर्माऽतनोति सद्रागात्कर्मयोगस्ततः स्मृतः ।।४९७।। અધ્યાત્મસાર અર્થ શરીરના સ્પંદરૂપી કર્મવાળો આ આત્મા સારા રાગના લીધે પુણ્યના ૧૦૪ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy