________________
12
જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
આધુનિક વિજ્ઞાન જેને બ્રહ્માંડ કહે છે તેને જ જેન પરંપરામાં લોક કહેવાય છે. બ્રહ્માંડ સ્વરૂપ જૈન લોકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય, કાળ અને જીવ એ રીતે કુલ છ દ્રવ્યો આવેલ છે. તેમાં આકાશાસ્તિકાય એક એવું દ્રવ્ય છે કે તે લોકમાં અને લોકની બહાર પણ આવેલું છે. અલોકમાં અર્થાત્ લોકની બહાર આકાશ સિવાય કશું જ