________________
* શબ્દસમીપ •
ખોપરીની હાજરી તે મંદિરના અસામર્થ્યને પ્રગટ કરવા માટે પૂરતી છે. જાતિની કલ્યાણવાંછાને પૂર્ણ કરવામાં વાંગા નિષ્ફળ ગયા છે. ખોપરીના થયેલા ટુકડા દ્વારા તેની વિફળતા બતાવે છે. સર્જક મંદિરમાં પુનઃચૈતન્ય લાવવાનું સૂચવે છે. નાટ્યાંતે આ મંદિર જીવન અને ઉલ્લાસ ભણી જશે, તેવો આશાવાદ કન્યા નામ્બુઆના પાત્રમાં મળે છે.
નાટ્યકાર બુકેન્યા આ નાટકમાં સંગીત, નૃત્ય અને ‘ઇમ્પ્રોવાઇઝ્ડ’સંવાદોનો સમુચિત ઉપયોગ કરીને નાટકને માત્ર ઉચ્ચ સંવાદોમાં સીમિત બનતું અટકાવે છે. નાટકનો પ્રારંભ પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષવા માટે કવિતાથી થાય છે. ભુકેન્યાએ નાટકની પ્રભાવકતા જાળવીને એમાં ગીત અને નૃત્ય દ્વારા નાટકમાં જીવંતતા આણી છે. નાટકનો પ્રારંભ યુવાનોના ચંદારાણીની પસંદગીના વિવાદથી દર્શાવીને નામ્બુઆના મંડળી સાથેના સંબંધો અને તેને માન્યતા આપવી કે નહીં તે સમસ્યાને ઉઠાવ આપે છે. એક જ સેટ પર એક જ સમયે બે જુદા જુદા સ્થળે થતી ઘટના દર્શાવીને ‘દશ્ય’ બદલવાની સ્થિતિ ઊભી થવા દીધી નથી. આફ્રિકામાં ફિલ્મો, રેડિયો, ટેલિવિઝન અને નાટકોમાં ફ્યુટનો વ્યાપક રૂપે ઉપયોગ થાય છે. એમાંય નાટકમાં પ્રેક્ષકને પ્રણયદશ્યો માટે સંકેત આપવા ફ્યુટનો ઉપયોગ થાય છે. ‘ધ બ્રાઇડ’માં પણ લેકિન્ડો અને નામ્બુઆના પ્રણયસંબંધને દર્શાવવા માટે તેનો ઉપયોગ કર્યો છે. આ પ્રકારના સંગીતને કારણે પ્રેક્ષકો તરત જ બંને પાત્રોના પ્રણયસંબંધને પામી જાય છે.
નાટકના અંતિમ દૃશ્યમાં પણ લગ્નોત્સવને ઉપસાવવા માટે સંગીત પ્રયોજ્યું છે. આવા સમયે ઔપચારિક સંવાદો અર્થહીન બની જાય છે. આ ઉપરાંત નાઘેન્યાના ગીતમાં અને લેન્ડિોના શાંતિગાનમાં કાવ્યનો ઉપયોગ કર્યો છે. નાઘેન્યાના ગીતમાં આલ્બીનોનો સંહાર કરવા શસ્ત્રો ઉઠાવી હત્યા કરવાનું આહ્વાન છે, તો આના પ્રતિભાવમાં યુવાનો અર્થહીન હત્યા નહીં કરે તેવું લેકિન્ડોનું ગાન નાટ્યસ્થિતિને ઉપસાવે છે. આમ આ નાટક આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષને આલેખતા નાટક તરીકે વિશિષ્ટ બન્યું છે.
Q ૧૧૬ D
૭
બ્રાંડવેની સૃષ્ટિ*
ન્યૂયૉર્ક શહેરની રંગભૂમિનો પર્યાય એટલે બ્રૉડવે. આમ તો ન્યૂયૉર્ક શહેરની આ સ્ટ્રીટ. બાઉલિંગ ગ્રીનથી શરૂ થતી આ સ્ટ્રીટ લોઅર બ્રૉડવેથી યુનિયન સ્ક્વેર થઈને ટાઇમ્સ સ્ક્વેરમાં પૂરી થાય. ન્યૂયૉર્કના પ્રારંભના દિવસોમાં આ બ્રાંડવે વિસ્તારમાં અને એની આસપાસ નાટ્યગૃહો થયાં. સમય જતાં આ સ્થળ વ્યવસાયી નાટ્યગૃહોનું મુખ્ય મથક બન્યું. વીસમી સદીના પ્રારંભે ટાઇમ્સ સ્ક્વેરનાં નાટ્યગૃહોમાં મુખ્યત્વે ભજવણી થતી પરંતુ ૧૯૩૦માં મંદીનું મોજું આવ્યું તેમજ ફિલ્મ માધ્યમનો પ્રારંભ થયો એટલે થિયેટર બંધાતાં અટ• યાં અને ૪૨મી સ્ટ્રીટનાં બધાં જ સત્તાવાર નાટ્યગૃહો સિનેમાગૃહોમાં પરિવર્તિત થયાં. ૧૯૫૦માં બાકી બચેલાં નાટ્યગૃહો ટી.વી.નાં પ્રસારણ
કેન્દ્રો બની ગયાં.
નાટ્યમંડળીઓ પોતાનાં નાટકો દેશ-દેશાવરમાં ભજવતી ત્યારે એની વ્યવસાયી ઉત્કૃષ્ટતા દર્શાવવા માટે ડાયરે• ટ ફ્રૉમ બ્રૉડવે' એવા શબ્દો પ્રયોજતા હતા. આ બ્રાંડવેએ અનેક લીલી સૂકી જોઈ. અમેરિકન પત્રકાર અને
*એક દિવસની મહારાણી' : ડેમોન રનિયનની ચંદ્રવદન મહેતાએ અનુવાદિત કરેલી વાર્તાઓના સંગ્રહની ભૂમિકા -૧૧૭