SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ઘંટાય, તેમ સ્વ-સ્વભાવની પ્રાપ્તિ કરી શકે છે. અધ્યાત્મયોગી આનંદઘન અશુદ્ધ ચેતનાની માયાસૃષ્ટિ સમાન કામનાની ચંચળતા, દેહની ક્ષણભંગુરતા અને સાંસારિક સ્નેહની સ્વાર્થમયતા દર્શાવે છે. એ મોહમલિનતાનો નાશ કરીને ચૈતન્યશક્તિ પ્રગટ કરવાના પુરુષાર્થની વાત કરે છે . સુમતિ પોતાના પ્રિયતમને મળવા માટે વિરહની વેદના અનુભવે છે. કુમતિની માયામાં લપેટાયેલા આત્માને એમાંથી મુક્ત થયા બાદ આત્મસ્વરૂપના પ્રત્યક્ષ અનુભવની અવિચળ કલા પ્રાપ્ત થાય છે. મહાયોગી આનંદઘન આ આંતરિક આધ્યાત્મિક પ્રક્રિયાનું વર્ણન કરીને અંતે એનાથી સાંપડતા અનુપમ આનંદનું ગાન કરે છે. આનંદઘનનાં સ્તવનોમાં આધ્યાત્મિક આરોહણનો ક્રમિક આલેખ મળે છે, તો એમનાં પદોમાં આધ્યાત્મિક ઊર્ધ્વતાની ભિન્ન ભિન્ન ભાવસ્થિતિઓનું આલેખન પ્રાપ્ત થાય છે. આનંદઘન પાસેથી આધ્યાત્મિક, યોગલક્ષી અને વૈરાગ્યનાં પદો પ્રાપ્ત થાય છે, પરંતુ એના આલેખનમાં એમની આલંકારિક રૂપકશૈલી અને જુદાં જુદાં દૃષ્ટાંતો દ્વારા કથનની સચોટતા સાધવાની કળા પ્રગટ થાય છે. કુમતિના સંગમાં બેહોશ બનીને ડૂબેલો આત્મા કઈ રીતે ધીરે ધીરે ઊર્ધ્વરોહણ સાધી શકે તેનો મનભર આલેખ આ પદોમાં છે. વિષયમાં આસક્ત જીવને વિષય ત્યજીને જાગવાનું ઉલ્બોધન કરતા તેઓ કહે છે – “ઊંઝા પૌ3 fટ નાણે નાથ; ઍld wid ણ્ ખામ .31 ટૅ નો ઘમ ઘatરે પદના પ્રારંભે વિષય-કક્ષાયની ગાઢ નિદ્રામાં રહેલી વ્યક્તિને ‘ક્યા સોવે ઊઠ જાગ બાઉરે' કહીને જાણે જગાડવા માગતા હોય તેવો ભાવ પ્રગટ થાય છે. કવિ નરસિહ મહેતાની ‘જાગને જાદવા થી આરંભાતી પંક્તિનું સ્મરણ થાય છે . સતત ક્ષીણ થતા આયુષ્યને માટે કવિ કહે છે કે, જેમ ખોબામાં રહેલું જળ આંગળીઓ વચ્ચેનાં છિદ્રોમાંથી નીકળીને સતત સરી જતું હોય છે, તેમ પ્રતિક્ષણ તારું આયુષ્ય ઘટતું જાય છે, તેથી આયુષ્યની પ્રત્યેક ક્ષણ તારે માટે અમૂલ્ય છે. પળનો પણ પ્રમાદ પોષાય તેમ નથી. કવિ સુંદર કલ્પના કરતાં કહે છે કે કાળનો પહેરેગીર સતત ઘડિયાળના ડંકા મારે છે અને તારો આયુષ્યકાળ પ્રતિક્ષણ ઘટી રહ્યો છે. ઇંદ્ર, ચંદ્ર, ધરણેન્દ્ર અને મોટા મોટા મુનિઓ ચાલ્યા ગયા, તો પછી ચવર્તી રાજા કયા હિસાબમાં ? આવા સમર્થને કાળવશ થવું પડ્યું, ત્યારે તું કોણ માત્ર ? માટે તત્કાળ જાગ્રત થા. આ જાગૃતિ તે બાહ્ય જાગરણું નથી, પણ આત્મજાગૃતિ છે. આ જાગૃતિ મહાયોગી આનંદઘન 126 એટલે ઘૂળમાંથી સૂક્ષ્મ તરફની ગતિ, અનિત્યમાંથી નિત્ય પ્રતિની સફર, ભંગુરમાંથી શાશ્વત તરફની યાત્રા. આને માટે વિષય-કષાયની વિભાવદશાની નિદ્રા તારે તજવી પડશે અને પ્રભુભક્તિરૂપી નૌકા દ્વારા પ્રતિક્ષણ જીવનસાફલ્ય માટે ઝઝૂમવું પડશે. જીવન એ પ્રસંગ નથી. ઘટના નથી. જન્મ-મરણ વચ્ચેનો કાલખંડ નથી. જીવન એ તો આત્માને ગમતાનો ગુલાલ કરાવવાનો અવસર છે. ઉત્સવ છે. આવા અવસરને ઉજાળવા માટે આશાવરી રાગમાં આલેખાયેલા પદમાં કવિ કહે છે, ‘સે કરી દઉં ખારે, ખવષર દોઉ ખ૩. ગું ઝાડૌ મેં ગd game21 @ 21દર્ભ પુર ગામૈ ૧ ખાદી દાદા નદી પર ૧ જૂટે ત્રાટl aaહૈં નાગે રે ETદા કે ll :સંદેશ :78@ 23મફૈરૂની 7 નૈ? 3 નાસૈda મૈં પાપ પણl Engટ દી બાગે. ਰਣਬ’ ਰੂਬੂ ਕਰ ਕੱਰ ਥੈ, ਸ਼ ਸ਼ ਖ਼ਫ਼ਾ 1973 * મનુષ્યભવપ્રાપ્તિ અત્યંત દુર્લભ હોવાથી ભલાઈ કરીને જન્મોજન્મ સુખ પામવા પ્રયત્ન કરવો જોઈએ. શરીર, પૈસો અને યુવાની એ ક્ષણિક છે અને પ્રાણ તો પળવારમાં ઊડી જાય તેવા છે. તન છૂટ્યા પછી આ ધન શા કામનું ? માટે સતૈચારિત્ર્યવાળું જીવન એ જ સત્યમાર્ગ છે. આત્માનંદ પામવાનો આવો અવસર તને ક્યાં મળવાનો છે ? આનંદઘન કહે છે કે એ અવસરને બરાબર ઓળખીને, આનંદપુંજ એવા પ્રભુને મરીને તારો આંતરવિકાસ સાધતો રહે. આત્માનંદની અનુભૂતિના અવસર સમા જીવનને પામવા માટે, કેટલાક અવરોધો પાર કરવા માટે અધ્યાત્મ-પુરુષાર્થ આવશ્યક છે. આનંદઘને એમનાં પદોમાં કુમતિની કપટલીલા દર્શાવીને આ અવરોધ બતાવ્યો છે. કુમતિને કારણે અનાદિકાળના અજ્ઞાનની નિદ્રા ભોગવતા માનવીની દુર્દશા દર્શાવતાં આનંદઘન કહે છે, પુત્રદા 7 પાપ : ભાગ-1, TET EZE પ્રખંદો રે, ખાપાદ 7381 ETHચી, ખેપી દાજ નોઝ. ૨૬. “સ્વપ્નમાં રાજ્યને સાચું માને છે અને આકાશના વાદળની છાંયડીમાં આનંદ બેસે છે. (પણ) ઓચિંતો કાળ-તોપચી આવીને જેમ નાહર બકરીને પકડે છે તેમ તને પકડી લેશે.” કવિ મોહગ્રસ્ત માનવીના જીવનમાં સહસા મૃત્યુથી સર્જાતી દશાનું હૃદયભેદક ચિત્રણ કરે છે. સ્વપ્નમાં રાજવૈભવ ભોગવનારની સ્વપ્ન ઊડી જતાં કેવી દશા થાય ? આકાશમાં એકાદ વાદળી આવતાં થોડીવાર થોડો છાંયડો લાગે, પરંતુ એ આનંદઘનનો પદવૈભવ
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy