SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત રાણ, વાઘ, રાગ, ગીત, નૃત્ય અને નાટક–સમાવિજયનો શિષ્ય જિનવિજયે શીતલનાથનું સ્તવન રચ્યું છે. એમાંથી નિમ્નલિખિત પંક્તિઓ રાસ વગેરેને લગતી હાઈ એ હું ઉઠુત કરું છું – “ અમરી ભમરી પરી લેક કે, મુખક-વાસ રે, અપચ્છર લાભ અને તે જાણી કે, ગાયે રાસ રે–૨ વીણા તાલ રબાજ(બ) સુણાવે કે લે કરતાલ રે, ધપમપ મૃદંગ બજાવે કે, રાગ રસાલ રે; તનનો તથઈ થઈ તાન મિલાવે કે, સરીખે સાદ રે, રાગ રાગે ગીત મલ્હાવે કે, મધુરે નાદ રે – નાટિક બત્રીશબદ્ધ દેખાવે કે, નવનવે છંદ રે, લટકે લળી લળી શીશ નમાવે કે, વિનય અમંદ રે;” આ પૈકી બીજી પંક્તિમાં રાસન, ત્રીજી અને ચોથીમાં વિવિધ વાઘોને, પચમીમાં નૃત્યના બેલ વગેરેને, છઠ્ઠીમાં રાગણી, રાગ અને ગીતને અને સાતમીમાં ૩૨ નાટકને ઉલ્લેખ છે. વિવાહમાં એવો ઉલ્લેખ છે કે જમાલિન પ્રાસાદમાં અનેક ' પ્રકારની સુંદર યુવતિએ વડે બત્રીસ જાતનાં નાટકો ભજવાતાં હતાં ત્યારે જમાલિ એ નાટકે અનુસાર નૃત્ય કરતો હતો. ચર્ચરી – પૃ. ૮૩માં નિર્દેશાવેલી ચર્ચરીની ગિશાસ્ત્ર (પ્ર. ૨, ભલે. ૨૭)ની પણ વૃત્તિમાં નીચે મુજબ પ્રશંસા કરાઈ છે - ૧ એ સત્યવિજય પંન્યાસના સંતાનય થાય છે. એઓ વિક્રમની ૧૮મી સદીમાં થઈ ગયા છે. ૧ આ સ્તવન “૧૧૫ સ્તવન મંજુ( )ષામાં પૃ. ૩૪૭)માં છપાયું છે.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy