SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીય વસ્તુના લાભ થાય તો તે વૈરાગ્યના વિનિપાત-ભ્રષ્ટતા પણ થાય છે. ૩૮. ટીકાથે—આ દુ:ખાન્વિત વૈરાગ્યનેવિષે શરીર અને ચિત્તના ખેદ એટલે અનુક્રમે ક્ષુધા, તૃષા, ગ્લાનિ વિગેરે તથા પોતાના કુટુંબના નિર્વાહની ચિંતા વિગેરેથી ઉત્પન્ન થયેલા સંતાપ જ તે વૈરાગ્યનું કારણ છે. અને વૈરાગ્યનું તૃપ્તિ કરનાર-પાષણ કરનાર જ્ઞાન-સદ્બાધ, તે ત્યાં છે જ નહીં, તથા પેાતાને ઇચ્છિત–મેળવવાના ઇષ્ટ ધનાદિકને કોઈ પણ ઉપાયના પ્રયોગવૐ લાભ, તેની પ્રાપ્તિ જો થઈ જાય તે વ્રતરૂપી પર્વતના શિખરપરથી અધઃપાત અથવા ઉત્ત્તત્રજ્યા ( પ્રત્રજ્યાને છેડી દેવાપણું ) પણ થાય છે. ૩૮. दुःखाद्विरक्ताः प्रागेवेच्छन्ति प्रत्यागतेः पदम् । अधीरा इव संग्रामे प्रविशन्तो वनादिकम् ॥ ३९ ॥ મૂલાર્થ—જેમ યુદ્ધવિષે પ્રવેશ કરતા અધીર પુરૂષો વનાદિકને ઇચ્છે છે, તેમ દુ:ખથી વૈરાગ્ય ( દીક્ષા ) પામેલા પુરૂષા પ્રથમથી જ (દીક્ષા લીધા પહેલાં જ ) પાછા આવવાના સ્થાનને ઇચ્છે છે. ૩૯. ટીકાર્ય-આજીવિકાદિકના દુઃખથી ઉદ્વેગ પામીને દીક્ષા ગ્રહણ કરનાર પુરૂષા પ્રથમથી જ એટલે દીક્ષા ગ્રહણ કર્યાના કાળથી પહેલાં જ ફરી ગૃહાવાસમાં આવવાના સ્થાનને ઇચ્છે છે. એટલે કે જો પ્રત્રજ્યામાં દુઃખ પડશે તે તે પ્રત્રજ્યાના ત્યાગ કરીને ફરીથી ઘેર આવીશું, અને તે વખતે અમુક ઉપાયથી નિર્વાહ કરશું.” એ પ્રમાણે ઈચ્છે છે. આ ઉપર દૃષ્ટાંત કહે છે.-જેમ યુદ્ધમાં પ્રવેશ કરનારા અધીર-કાયર પુરૂષ વનાદિકને-ગહન વન, ગંભીર ગર્તા તથા ગિરિની ગુહા વિગેરેને ઇચ્છે છે; એટલે કે જો આપણા પરાજય થશે તે અહીં આવીને ભરાઈ રહીશું ” એમ ઇચ્છે છે તેમ. ૩૯. ઉત્પત્રજ્યામાં જે આજીવિકાના ઉપાય ચિતવ્યા તેનું ફળ કહે છે.शुष्कतर्कादिकं किंचिद्वैद्यकादिकमप्यहो । पठन्ति ते शमनदीं न तु सिद्धान्तपद्धतिम् ॥ ४० ॥ મલાર્થ—અહ।। તે દુઃખગર્ભિત વૈરાગ્યવંત મનુષ્યો શમતાની નદીસમાન સિદ્ધાન્તની પદ્ધતિના અભ્યાસ કરતા નથી; તે તેા શુષ્ક એવા કાંઈક તર્કશાસ્ત્રાદિક તથા કાંઇક વૈદકશાસ્ર વિગેરે ભણે છે. ૪૦. ટીકાભેં—અડ્ડા ! મહા આશ્ચર્ય છે કે જે ગૃહવાસનાં દુઃખાને જોઇને–અનુભવીને જિનેશ્વરે કહેલી સુખદાયક દીક્ષાને પામ્યા છે તે દુઃખગર્ભિત વૈરાગ્યવંત પુરૂષો શાંતરસની નદીરૂપ સિદ્ધાન્તની પદ્ધ Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy