SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાનિધિસૂત્ર T આચાર્ય સાગરચંદ્ર સાગરસૂરિ મહારાજ 'આગમ એ જિનશાસનનો દસ્તાવેજ છે. આગમના આધાર વિના પ્રભુની સાધનાને કે વિશ્વના સત્યને સમજવું અશક્ય છે. એટલે જ આગમોને જિનપ્રતિમા સરીખી બતાવી પ્રભુપ્રતિમા જેટલું જ તેનું મૂલ્ય બનાવાયું છે.‘ સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. કર્ત્યારિસાપાના દુધમાં દર્શાય દુનિયા! અનાહા ! કહં હંતો ન હ હંતા જિનાગમે. એટલે, આ કળિયુગમાં જ પ્રભુના વચન સ્વરૂપ આગમો ન હોત તો મારું શું થાત? અનાથ જેવી સ્થિતિ અમારી થાત એમ કહી આગમોની બહુમૂલ્યતા સૂચવે છે. આપણું સદ્ભાગ્ય છે કે આગમનો વારસો વિશિષ્ટ વાચનાઓ લેખન, મુળપાઠાદિ દ્વારા આપણને મળ્યો અને પૂ. આગમો દ્વારકશ્રી આનંદસાગરસૂરિ મ. દ્વારા આગમમં દિર જે વા સ્થાપત્યો મળ્યા છે. આ આગમનો મહિમા એ જિનશાસનના આચારોનો મહિમા છે. પરમાત્માને કે વલજ્ઞાન દ્વારા મળેલા વિશ્વના મહાસત્યોનો મહિમા છે. આગમોના માધ્યમે આપણે આપણી સાધનાને જીવંત રાખી શકીએ છીએ. આ ૪૫ આગોમાં જેનું મુખ્ય અમૂલ્ય છે તેવા શ્રી મહાનિશિથ નામના આગમની આપણે વાતો કરીએ... ૩૯મા નંબરનું આગમ છે. આ આગમને શ્રી રૂપવિજયજી મ. પૂજાના દુહામાં આ શબ્દો વર્ક વધે છે ‘મહાનિશિથ સિદ્ધાંતમાં મુનિમારગ નિરધારવીરજિણંદ વખાણીયો પુજુ તે ધુનસાર... શ્રી મહાનિશિથ સૂત્ર એ શ્રમણજીવનની આચાર મર્યાદાનો આધાર છે. ગુરુ સુોગ્ય શિષ્યને રાત્રી સમયે કર્ણોપકર્ણ સૂત્ર-અર્થને એપર્યાય નિષેપ કરે છે તે આગમ એટલે શ્રી મહાનિશથસૂત્ર. ૬. અધ્યન, ૨ ચુક્ષિકા સ્વરૂપ તેનું વિસ્તરણ છે અને ૪૫૫૪ શ્લોક તેમાં સમાવિષ્ટ છે. અંત થાય છે અને તેમાં ‘સ્ત્રી’ એ રાગરૂપ હોવાથી ઉત્કૃષ્ટ આશ્રવાર છે તેથી તે પ્રત્યેના કામરાગનો અંત કરવો જોઈએ તેવી વિશિષ્ટ પ્રેરણા તેમાં દર્શાવી છે. ત્રીજું અધ્યયન : આગળના અધ્યયનના સામાન્ય જીવો અધિકારી છે પરંતુ હવેના અધ્યયનોની વાચના વિશિષ્ટ અધિકારી માટે જ છે. સોગ્ય શિષ્યોને જ ગુરુ દ્વારા આની વાચનો મળે છે. વિશિષ્ટ યુગપ્રધાનોઆચાર્યો આદિએ ૩-૪-૫-૬ અધ્યયનને શ્રુતનો સાર કહ્યો છે. અનેક મંત્ર-તંત્ર-વિદ્યાના નામો આમાં દર્શાવવામાં આવ્યા છે. નવકાર-ઉપધાન-આદિનો ઉલ્લેખ અને તેનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. તેના લાો પણ આમાં બતાવવામાં આવ્યા છે. શ્રમણની જેમ શ્રાવકોએ પણ શ્રી નવકાર મહામંત્રને ભણવા ઉપધાન તપ આવશ્યક છે. તેની વાતો આમાં કરવામાં આવી છે. * પ્રથમ અધ્યયન: અરિહંત પરમાત્માને નમસ્કાર કરીને ‘સુર્યમ થી પ્રારંભ થતું આ પ્રથમ અધ્યયન સાધનાને સફળ સાબિત કરવા માટે શલ્યનો પરિત્યાગ કરવો તે અનિવાર્ય છે. શલ્ય સાથેની સાધના નિષ્ફળ થાય છે. તેવી રજૂઆત કરીને વૈરાગ્યનો ઉદ્બોધ આપી અતિદુર્લભ શ્રમણ જીવનને પ્રાપ્ત ક૨ના૨ પુન્યાવાન નિશલ્ય સાધના કરે તેવી પ્રેરણા આપવામાં આવી છે. સાથે શલ્યોદ્ધાર માટેની વિધિ પણ આપવામાં આવી છે. તેમાં શ્રુતદેવતાની વિદ્યા આપીને તેનાથી રાત્રે સૂતા બાદ સ્વપ્નમાં દેવ દ્વારા વિશિષ્ટ સંકેતો મેળવી શકાય છે. આવી વાત રજૂ કરવામાં આવી છે. ક્ષમાયાચના પણ નિશલ્યપણે અર્થાત્ પ્રાયશ્ચિત્ત પણ નિશલ્ય રીતે કરવું જોઈએ તેવી વાતો મૂકીને શલ્ય સાથે કરેલા અનેકગણા પ્રાયશ્વિત્ત પછી પણ શુદ્ધિ ન થયેલા ટ્રષ્ટાંત મૂકવામાં આવ્યા છે. અને શક્ય વિના શુદ્ધિપૂર્વક કરતા આાચનથી મોક્ષે ગયાના સાધકોની ઘટનાઓ બતાવવામાં આવી છે. અપરાધ છુપાવવાથી દુર્ગતિ થાય છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. બીજું અધ્યયનઃ કર્મ વિપાક નામના આ અધ્યયનમાં કર્મના વિપાકોનું માર્મિક વિવેચન છે. આશ્રવ દ્વારા રોકવાથી જ તમામ દુઃખોનો પ્રબુદ્ધ સંપા ચોથું અધ્યયન: આ અધ્યયનમાં શ્રમણાચારનું પરિપાલન કરનાર આત્મસાધક પણ કુસંગનું વર્જન કરે તો ધીરે ધીરે શિથિલાચાર તરફ તે ગતિ કરે છે, તેના માધ્યમે વ્રતોનો લોપ થાય છે અને મહાવિરાધક બની જાય છે. તેથી કુસંગ વર્જનની વાતો આમાં બતાવવામાં આવી છે. પાંચમું અધ્યયન : અત્યંત મનનીય આ અધ્યયન છે. શ્રમણાચારના પાલન માટે ગચ્છનું સ્વરૂપ એ કિલ્લા જેવું છે. ગચ્છના માધ્યમે આચાર મર્યાદાનું પાલન સુયોગ્ય રીતે થઈ શકે છે. તેથી આ અધ્યયનમાં ગચ્છનું સ્વરૂપ કેવું હોય તેની વિગતે ચર્ચા કરવામાં આવી છે. જિનશાસનની મર્યાદા આ. શ્રી દુપ્પસહસૂરિ પર્યંત રહેશે તેનો ઉલ્લેખ આ આગમમાં છે. સાવધાચાર્ય દ્વારા થયેલા શ્રમણીના સ્પર્શના બચાવમાં શાસ્ત્રાધારને અસ્પષ્ટ રીતે રજૂ કરવાની ચેષ્ટાથી અનંત સંસાર વધારી દીધું તેની વાત પણ અહીં કરવામાં આવી છે. જિનાલય રાચીલા અને જિર્ણોદ્વારની પણ ચર્ચા આમાં કરીને જિન-મંદિર દહેરાસર અંગેની ઉચિત જાગૃતિમાં શ્રમોના કર્તવ્યોધને જાગ્રત કર્યો છે. છઠ્ઠું અધ્યયન: આ અધ્યયનમાં દશપૂર્વી એવા શ્રી નંદીષેણ દ્વારા પણ પ્રાયશ્ચિત્ત કર્યાની વાતોથી શુદ્ધિકરણના માર્ગની સ્તુતિ કરવામાં આવી છે. આરંભ-સમારંભનો ત્યાગ એ જ સાચું ભ્રમણત્વ છે આમ બતાવી સાધ્વી રજ્જાની વાતો અને અગીતાર્થ એવી લક્ષ્મણા સાધ્વીજીની વાતો કરીને પ્રાયશ્ચિત્તતાના ૧૦ અને આલોચનાના ૪ ભેદોની વાતો કરી આ અધ્યયન દ્વારા કલંકિત થયેલ શ્રમણાચારને સ્વચ્છ કરી પુનઃ આત્મકલ્યાણમાં આગળ વધવાના માર્ગનું પ્રસ્થાપન કરવામાં આવ્યું છે. ૫૫ કરોડ લાખ, ૫૫ કરોડ હજા૨, ૫૫ સો કરોડ, ૫૫ કરોડ આચાર્ય પ્રભુ વીરના શાસનમાં ગુણાકીર્ણ નિવૃત્તગામી થવાના તેવી વાત કરવામાં આવી છે. આ આગમનો જૉંગ કરનાર મુનિવર વર્ધમાન વિદ્યાના અધિકારી બને છે અને તેઓ ઉપધાનાદિ શ્રાવકાચારને કરાવવાના સુોગ્ય બને છે. આ આગમની ચિત્રકા પણ વિશેષ મનનીય છે. વર્તમાનકાળે આ આગમનો સર્વગીતાર્થ પૂજ્યો દ્વારા અતિ ભાવપૂર્વક પઠન-પાઠન થાય છે. આવા આગમને વંદન...નમન... ૮૬
SR No.034161
Book TitlePrabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Original Sutra AuthorN/A
Author
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy