________________
ત્યારે એક રીતે તો સમગ્ર વિશ્વના દરવાજા આપણા માટે બંધ થઈ જાય છે. આપણે એમ માનીએ છીએ કે આપણે જૂઠાણાંઓને, અસત્યોને મને અનિચ્છનીય તત્ત્વોને બહાર રાખ્યાં છે, પણ ખરેખર તો આપણે જ બહાર જતા રહીએ છીએ. કોઈક મોટા મેળામાં ભુલું પડી ગયેલું બાળક રડવા માંડે અને જો કોઈ પોલીસ એને પૂછે ત્યારે આ બાળક રડતાં-રડતાં કહી દે કે મારી મા ખોવાઈ ગઈ છે– એના જેવો જ આ તાવ થાય છે. ભીડમાં મા નથી ખોવાઈ ગઈ, બાળક ખોવાઈ ગયું છે. પણ બાળકને એની ખબર નથી, એટલે એ એમ જ માને છે કે હું તો યથાસ્થાને જ છું, પણ મારી મા ક્યાંક ખોવાઈ ગઈ છે.
સ્યાદ્વાદનું સરળ અનુસરણ આપણાં દૈનિક જીવનના અપાર સંઘર્ષો તો ટાળે જ છે અને માનસિક શાંતિ પણ આપે છે, પણ એનાથી સહુથી વધુ લાભ માનવીય જ્ઞાનના કુલ જથ્થાને થાય છે. આપણે ત્યાં પ્રાચીનકાળમાં શાસ્ત્રીય વિવાદ અથવા શાસ્ત્રાર્થ અવારનવાર યોજવામાં આવતા. સ્યાદ્વાદો સ્વીકાર કરીએ તો આવા શાસ્ત્રાર્થ પોતાના કોઈ મતના મંડન કે વિપક્ષીના કોઈ મતના
એક પક્ષ કહે છે કે આ વિષયમાં આટઆટલી વાતો હું જાણું છું અને આટઆટલા વિષયોમાં હું આટઆટલું સમજ્યો છું. આ મારું જ્ઞાન છે. હવે તમે તમારું જ્ઞાન કહો. વિપક્ષી પ્રતિસ્પર્ધક એ જ રીતે પોતાની વાત પણ રજૂ કરે છે. આમ બંને પક્ષે બધું ખુલ્લું થાય છે. એટલે બેય પક્ષમાં જ્યાં-ક્યાંય પણ ચૂક હોય એમાં સુધારો થાય છે. અને જ્યાં ન્યૂનતા હોય ત્યાં ઉમેરો થાય છે. આમ, આ શાસ્ત્રાર્થથી બંને પક્ષે જ્ઞાનમાં વધારો થાય છે અને બંને પક્ષે જે કંઈ ભૂલચૂક હોય એમાં સુધારો થાય છે. જો આ શાસ્ત્રાર્થ ન થતો હોય તો બંને પક્ષ પાસે પોતપોતાનું મર્યાદિત જ્ઞાન એમ ને એમ રહ્યું હોત અને આ સમજમાં જ્યાં-ક્યાંય પણ ઊણપ હતી એ એમ ને એમ જ અકબંધ રહી હોત. હું જ સાચો છું અને તમે ખોટા છો એવા ભાવથી જ
ખંડન માટે નથી હોતા. શાસ્ત્રાર્થ કરનાર ઉભયપક્ષનું લક્ષ્ય એ ક જ એ આપણો ઘરેલુ અનુભવ છે. જો હું પહેલેથી જ મારા મત માટે હોય છે. હઠાગ્રહી ન હોઉં, એટલું જ નહિ, મને જો મારી સમજદારી કે બુદ્ધિમત્તા વિશે અહંકાર કહી શકાય એવો ખ્યાલ ન હોય, તો આવા સંવાદથી સામેવાળાના મતમાં ભલે મોટા ભાગે અતાર્કિક વાર્તા હોય, તોય કેટલુંક સત્ય તો અવશ્ય લાધે છે, પણ આપણો પેલો અહંકાર એનો સ્વીકાર કરવા દેતો નથી. આ અહંકારને ઓગાળીને જે કંઈ સત્ય વિપક્ષે હોય એનો પણ સ્વીકાર એનું નામ જ સાચું રેશનાલિઝમ છે. આ અર્થમાં આધુનિક રેશનાલિસ્ટોએ સ્યાદ્વાદ સમજવા જેવો છે. સ્યાદ્વાદના અનુસરાથી રેશનાલિઝમ સાચા અર્થમાં રેશનાલિસ્ટ બનશે.
જો આપણે સ્યાદવાદને આ રીતે સમજીને વહેવારમાં ઉતારીએ તો આપણા ઘણાં સંઘર્ષો અને સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ થઈ જાય છે અને માનસિક સ્તરે હળવાશ પણ પ્રાપ્ત થાય છે.
I am an Advaitist and yet I can support Dvaitism (dualism). The world is changing every moment, and is therefore unreal, it has no permanent existence. But though it is constantly changing, it has a something about it which persists and it is therefore to that extent real. I have therefore no objection to calling it real and unreal, and thus being called an Anekantavadi or a Syadvadi. But my Syadvada is not the Syadvada of the learned, it is peculiarly my own. I cannot engage in a debate with them. It has been my experience that I am always true from my point of view, and am often wrong from the point of view of my honest critics. I know that we are both right from our respective points of view. And this knowledge saves me from attributing motives to my opponents or critics. The seven blind men who
આવો શાસ્ત્રાર્થ થાય તો ખંડન અને મંડનના વિવાદો પેદા થાય. એને બદલે સ્યાદ્વાદના અનુસરણથી એટલે કે ‘તમે પણ સાચા હોઈ શકો છો’ એના ભાવથી થતા શાસ્ત્રાર્થને પરિણામે માનવ સંસ્કૃતિમાં વધારો થાય છે.
શાસ્ત્રાર્થ પાછળ જ્યારે આવો ભાવ નથી હોતો ત્યારે વિજય કે પરાજયનો પક્ષ પેદા થાય છે. પરાજય કોઈનેય પસંદ નથી હોતો. એટલે પરાજિત થવા છતાં માણસ પોતાના મતનું સાચું-ખોટું અનુમોદન કર્યે જ જાય છે. વિજથી થનારને વિજયનો કેફ ચડે છે, એના અહંકારમાં વધારો થાય છે અને પરાજિતના અહંકારને ઠેસ વાગી હોવાને કારણે એનામાં રોષ જન્મે છે. પોતાના મતના સમર્થન માટે એ વધુ વેગથી કામે લાગી જાય છે, એટલું જ નહિ, વિપક્ષી પ્રત્યે હવે એના મનમાં દ્વેષ પણ પેદા થાય છે. આમ સ્યાદ્વાદથી વિપરીત આચરણ કરવાને કારણે જ્ઞાનનો પ્રવાહ કલુષિત થાય છે, એટલું જ નહિ, સામાજિક સ્તરે અહંકાર, દ્વેષ, ક્રોધ-આ બધાં નાસ્તિવાચક મૂલ્યો પ્રતિષ્ઠિત થાય છે.
'શાસ્ત્રાર્થ' શબ્દ વિદ્વાનો માટે રહેવા દઈએ, તો સામાન્ય સંવાદ
૨૫૭
gave seven different descriptions of the elephant were all right from their respective points of view, and wrong from the point of view of one another, and right and wrong from the point of view of the man who knew the elephant. I very much like this doctrine of the manyness of reality. It is this doctrine that has taught me to judge a Musulman from his standpoint and a Christian from his. Formerly I used to resent the ignorance of my opponents. Today I can love them because I am gifted with the eye to see myself as others see me and vice versa. I want to take the whole world in the embrace of my love. My Anekantavada is the result of the twin doctrine of Satyagraha and ahinsa.
- Mahatma Gandhi
સ્યાદ્વાદ