________________
૨૬૪
લવ યુ ડોટર
પતિનું મૃત્યુ થાય
ત્યારે પત્ની પોતાની ઇચ્છાથી
પતિની સાથે જીવતી બળી મરતી.
એ પ્રથા સારી હતી કે ખરાબ, એની વાત મારે નથી કરવી,
હું તો તને એ કહેવા માગું છું. કે wifehood માં કેટલી હદનો અભેદ
આત્મસાત્ થઈ ગયો હોય ત્યારે આ વસ્તુ શક્ય બને ! આવી ઘટનાને જોનારાઓએ લખ્યું છે કે જીવતી બળી રહેલી એ નારીના
ચહેરાની રેખા પણ બદલાતી ન હોય
એટલી એ સ્વસ્થ હોય.
એની એ પ્રસન્નતાને જોનારા લોકો સ્તબ્ધ બની જતાં. વિશ્વાસ અને વફાદારીનાં આ પવિત્ર સંબંધને
હજારો લોકો નતમસ્તકે વંદી રહેતાં.
આજે પણ ભારતમાં ઠેર ઠેર
સતી માતાના પાળિયા અને સતીમાના મંદિરો છે.
જેઓ સમર્પણના એ કાળજયી સંગીતને રેલાવી રહ્યા છે.
એક સ્પષ્ટતા કરી લઉં મારી દીકરી,
પતિ પાછળ જીવતા બળી મરવું જોઈએ
એવું હું નથી માનતો.
એટલે તું કોઈ ગેરસમજ ન કરતી.
આ વાતો તો અભેદની એ અસ્મિતાના સંદર્ભમાં કહી છે.
My dear,
લગ્નનો અર્થ છે