________________
DIET
છગને પૂછ્યું, “ડૉક્ટર સાહેબ, ખાવા-પીવામાં..?’
ડૉક્ટરે જવાબ આપ્યો, “સાદો ખોરાક બધો લઈ શકાશે.’’
“અને ડૉક્ટર સાહેબ ખીચડી-કઢી જેવુ ?'
“લઈ શકાશે. વાંધો નહીં.’
“અને પૌઆ-ઉપમા લેવાય ?’’
“કહ્યું ને ? સાદો ખોરાક બધો લેવાશે.’’
“હા ડૉક્ટર સાહેબ અને રોટલી-શાક લેવાય ?’’
“હા, લેવાશે.”
“અને થોડું લીંબુ પાણી અને સેવ-મમરા...’
“તમારે જે ખાવું હોય એ ખાવ, પણ મારું માથું નહીં ખાવ.”
Do you know my dear,
કોઈ પ્રાણી માંદું પડે એટલે પહેલું કામ શું કરે ?
ખાવાનું બંધ કરી દે.
એટલે એ વહેલામાં વહેલું સાજું થઈ જાય.
How smart ? No ?
માણસ આ બાબતમાં ઘણો પછાત છે.
એ માંદો પડે એટલે એની ખાવા-પીવાની ઉપાધિ વધી જાય છે.
યોગશાસ્ત્રમાં કહ્યું છે -
अजीर्णे भोजनत्यागी ।
૯
અજીર્ણ એટલે હજી જૂનું ભોજન પચ્યું ન હોય એવી સ્થિતિ. આ સ્થિતિમાં નવું ભોજન ન લેવું જોઈએ.
We are on ‘Why ?'
જો આહાર લેવાનો Purpose દૈનિર્વાહ જ છે,
તો પછી જે આહાર લેવામાં શરીરને નુકસાન થાય,
એ આહાર શી રીતે લઈ શકાય ?