________________
ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા અવિરુદ્ધ એવા જિનવચનને અનુસરીને જે રીતે શાસ્ત્રમાં કહેવાયું હોય તે રીતે થતું અને મૈત્રી વગેરે ભાવથી યુક્ત એવું જે અનુષ્ઠાન, તે ધર્મ કહેવાય છે.
दुर्लभं प्राप्य मानुष्यं, विधेयं हितमात्मना । करोत्यकाण्ड एवेह, मृत्युः सर्वं न किञ्चन ॥५॥
દુર્લભ મનુષ્યપણાને પામીને આત્માએ હિત જ કરવા જેવું છે. મૃત્યુ અચાનક જ બધું હતું ન હતું કરી નાંખે છે.
बीजनाशे यथाऽभूमौ, प्ररोहो वेह निष्फलः । तथा सद्धर्मबीजानां, अपात्रेषु विदुर्बुधाः ॥६॥
બીજનો નાશ થાય તો અથવા ભૂમિ ઉજ્જડ હોય તો ઊગાડવાની મહેનત નિષ્ફળ જાય. તેમ અપાત્રમાં સદ્ધર્મરૂપ બીજ ઊગતું નથી, એમ પંડિતો કહે છે.
न साधयति यः सम्यग्, अज्ञः स्वल्पं चिकीर्षितम् । अयोग्यत्वात् कथं मूढः, स महत् साधयिष्यति ? ॥७॥
જે અજ્ઞાની, કરવા ઇચ્છેલું નાનું પણ કાર્ય સારી રીતે કરતો નથી; તે મૂઢ (સંયમ જેવું) મોટું કાર્ય કઈ રીતે કરશે ? કારણ કે અયોગ્ય જ છે.
अबोधेऽपि फलं प्रोक्तं, श्रोतॄणां मुनिसत्तमैः । कथकस्य विधानेन, नियमाच्छुद्धचेतसः ॥८॥