________________
આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા
नि.१२१ एते अकारणा संजयस्स, असमत्ततदुभयस्स भवे ।
ते चेव कारणा पुण, गीयत्थविहारिणो भणिआ ॥५६॥
આ બધા સૂત્ર-અર્થથી અસંપૂર્ણ સાધુને વિહારના અકારણો છે. અને તે જ, ગીતાર્થ સાધુને માટે કારણો છે. नि.१७३ समणाणं सउणाणं, भमरकुलाणं च गोउलाणं च ।
अनियाओ वसहीओ, सारइआणं च मेहाणं ॥५७॥
સાધુઓ, પક્ષીઓ, ભમરાના સમૂહો, ગોકુળ અને શરદ ઋતુના મેઘની વસતિ (રહેઠાણ) અનિયત - સતત બદલાતી હોય
नि.१९८ मुत्तनिरोहे चक्खू, वच्चनिरोहे य जीवियं चयइ ।
उड्ढनिरोहे कोढे, गेलन्नं वा भवे तिसु वि ॥५८॥
મૂત્રને અટકાવી રાખવામાં આંખને નુકસાન થાય, મળને અટકાવી રાખવામાં પ્રાણ જાય. ઊર્ધ્વવાયુ અટકાવી રાખવામાં કોઢ થાય. અથવા ત્રણેમાં ગ્લાનિ-બિમારી આવે. नि.२२८ मज्जारमूसगाइ य, वारए नवि अ जाणुघट्टणया ।
दो हत्थे य अबाहा, नियमा साहुस्स साहूओ ॥५९॥
(સૂતી વખતે) ઉંદર-બિલાડાને અટકાવે. (તે માટે પાતરા નજીક રાખીને સૂવે.) પગ અડે નહીં, તે માટે થોડા દૂર (૨૦ અંગુલ) રાખે. સાધુનું સાધુથી અંતર બે હાથનું રાખવું.