________________
ઓઘનિર્યુક્તિ
૧૫
भा.४९ किं पुण जयणाकरणुज्जयाण दंतिदियाणं गुत्ताणं ।
संविग्गविहारीणं, सव्वपयत्तेण कायव्वं ॥५३॥
તો પછી યતના કરવામાં ઉદ્યત, ઇન્દ્રિયને દમનારા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા સંવિગ્ન વિહારીની વૈયાવચ્ચ તો પૂરા પ્રયત્નથી કરવી જ જોઈએ. भा.४७ तित्थगरवयणकरणे,
आयरियाणं कयं पए होइ । कुज्जा गिलाणस्स उ, पढमालिअ जाव बहिगमणं ॥५४॥
તીર્થકરની આજ્ઞાનું પાલન કરવામાં આચાર્યની આજ્ઞાનું પાલન પહેલેથી જ થઈ જાય છે. એટલે (આચાર્યની આજ્ઞાથી કરેલા વિહારમાં પણ) ગ્લાનની પ્રથમાલિકા લાવવી વગેરે સર્વ સેવા ત્યાં સુધી કરવી, કે જ્યાં સુધી ગ્લાન જાતે બહાર જઈ શકતા થાય.
- વિહાર – नि.१२० चक्के थूभे पडिमा, जम्मण निक्खमण नाण निव्वाणे।
संखडि विहार आहार, उवहि तह दंसणट्ठाए ॥५५॥
ચક્ર, સૂપ, પ્રતિમા, જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન-નિર્વાણ કલ્યાણકની ભૂમિ, સંખડી, પરિભ્રમણ, સારા આહાર, ઉપધિ કે સુંદર સ્થળોના દર્શન માટે..