________________
ઓઘનિર્યુક્તિ
ચારિત્રના સ્વીકાર માટે ધર્મકથા અને દીક્ષાદિના મુહૂર્ત (ગણિતાનુયોગ) છે. દ્રવ્યાનુયોગથી સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય અને શુદ્ધ સમ્યગ્દર્શનવાળાને જ ચારિત્ર હોય. (તેથી ચરણકરણાનુયોગ બળવાનું છે.)
नि.४७ सव्वत्थ संजमं संजमाउ, अप्पाणमेव रक्खिज्जा ।
मुच्चइ अइवायाओ पुणो, विसोही न याविरई ॥३१॥
સર્વત્ર સંયમની રક્ષા કરવી; સંયમ કરતાં પણ આત્માની રક્ષા કરવી. કારણકે જીવ બચે તો શુદ્ધિ (પ્રાયશ્ચિત્ત) કરીને હિંસા (સંયમવિરાધના)ના પાપથી મુક્ત થઈ શકાશે અને તેમાં અવિરતિ આવી જતી નથી. नि.४८ संजमहेउं देहो धरिज्जइ, सो कओ अ तदभावे ? ।
संजमफाइनिमित्तं तु, देहपरिपालणा इट्ठा ॥३२॥
સંયમ માટે જ શરીરનું રક્ષણ કરાય છે. શરીર વિના સંયમ શી રીતે હોય? સંયમની શુદ્ધિ વૃદ્ધિ માટે શરીરની કાળજી ઇચ્છનીય છે.
– ઉપકરણ – नि.७४२ जं जुज्जइ उवगारे, तं सि होइ उवगरणं ।
अतिरेगं अहिगरणं, अजतो अजयं परिहरंतो ॥३३॥