SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ સાત્તિર - 2i% (2) (રાત્રિપર્વત, સંપૂર્ણ રાત્રિ, આરતિ) આજના સમયમાં આરતિનો અર્થ થાય છે કે દીવો પ્રગટાવીને પરમાત્મા આગળ એકાદ મંગલગીત ગાવું તે આરતિ છે. પરંતુ શાસ્ત્રીય રીતે તેનું અર્થ ઘટન કરીએ તો રાત્રિના પ્રારંભથી લઇને સૂર્યના પ્રથમ કિરણના સમય સુધી જિનાલયને દિપકો દ્વારા પ્રકાશિત કરીને પરમાત્મા સન્મુખ ભક્તિમય ગીતોનું ગુંજન કરવું તે આરતિ છે. એટલે કે સમસ્ત રાત્રિ પર્વત પરમાત્માના ગુણોનું કીર્તન કરીને અંતમાં મંગલદીપક દ્વારા તેનું સમાપન કરવું તે ખરા અર્થમાં આરતિ છે. માદ્ધ - RIG (ત્રિ.) (1. સિદ્ધ થયેલ, રાંધેલ) જે અન્ન કાચુ રહી ગયું હોય અને તેનું ફળ ક્ષુધાતૃપ્તિ સિદ્ધ થતું ન હોય તો રાંધવાની ક્રિયા અને તેનું કારણ અન્ન બન્ને નિરર્થક છે. તેવી રીતે ધર્મની પ્રત્યેક આરાધના કરવા છતાં જો તેનું ફળ પ્રાપ્ત થતું ન હોય તો ધર્મની ક્રિયા અને તેના કારણભૂત આત્મ અધ્યવસાયો બન્ને નિરર્થક જાણવા. કારણકે તમારા શુદ્ધ ભાવના અભાવે અથવા વિપરીત અનુષ્ઠાનના કારણે જ શાસ્ત્રોક્ત ફળ તમને પ્રાપ્ત નથી થયું. એમ માનવું જ રહ્યું. * મારવ્ય () (આરંભ કરેલ, શરૂઆત કરેલ) માર (%) - ગામ (થા) (આરંભ કરવો, શરૂઆત કરવી) નરમ () ફત્તા - આરણ્ય (અવ્ય.) (આરંભ કરીને, શરૂઆત કરીને) કારખંત - મારઝમાળ (2i) (1. પ્રારંભ કરતો, શરૂઆત કરતો 2. આરંભ-સમારંભ કરતો, જીવવધ કરતો) કામ - મામદ (ઈ.) (1. નાટકનો એક ભેદ, 32 નાટકમાંનું અઠ્યાવીસમું નાટક 2, 4 દિવસે આવનારું એક મુહૂર્ત 2. શૂરવીર, યોદ્ધા) જેવી રીતે શૂરવીર સૈનિક દેશના દુશ્મન સામે ભયવિના પરાક્રમપૂર્વક લડે છે. તેવી જ રીતે મોક્ષમાર્ગના સાધક શ્રમણ પણ એક પ્રકારના યોદ્ધા જ છે. આથી તેઓ રાગ-દ્વેષ-મોહાદિ શત્રુઓનો ભય રાખ્યા વિના નિડરતા પૂર્વક તેનો નાશ કરવો જોઇએ. જ્ઞાનસાર ગ્રંથમાં પણ કહેવું છે કે જિનધર્મનો યોદ્ધા આવે સાધુ જિનાજ્ઞારૂપી તલવારને હાથમાં રાખીને મોહાદિ આંતરિક શત્રુઓનો ખાતમો કરનાર છે. आरभडभसोल - आरभटभसोल (न.) (32 નાટકમાંનું ૩૦મું નાટક) HIRAGI - મારમટા (સ્ત્ર.) (પડિલહેણનો એક દોષ) વિશેષાવશ્યક ભાષાદિ ગ્રંથમાં કહેલું છે કે “જીવદયા પ્રતિપાલક સાધુએ વસ્ત્રાદિનું પડિલહેણ પ્રમાદરહિતપણે ઉપયોગપૂર્વક કરવું જોઇએ. જેનાથી ધર્મનું પાલન, જીવોની રક્ષા અને કર્મનિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ જે સાધુ પ્રમાદને વશ થઇને નિરાદરપણે ઉતાવળે પડિલહેણ કરે છે તે જિનાજ્ઞાનું ખંડન, જીવોની હિંસા અને અશુભકર્મનો બંધ કરે છે.” ગામડી - ગરમી (સ્ત્રી) (નાટકનો એક ભેદ, રચનાભેદ) 349
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy