________________ | ય. . આચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વશજી મ.સા. (પંડિત મહાશાજ શશ આચાર્યદેવેશ શ્રીમદ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. વર્તમાન જૈન શ્રી સંઘમાં ગ્રંથોના અનુવાદનું કામ પ્રચૂર પ્રમાણમાં જોવા મળે છે. જયારે વિષયવાર જૈન સાહિત્યનું વર્ગીકરણ કરવાનું કામ ખુબ જ જવલ્લે થયેલ છે. પ.પૂ.શ્રીમદ્દ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. એ કરેલ વિષયવાર સાહિત્યના પ્રથમ પ્રયાસોનો અનુવાદ કરવા દ્વારા તમે સૌ શ્રતની પરંપરાને વિકસાવો તે જ શુભાભિલાષા.... થ. . આચાર્ય શ્રી યશોવર્મસૂરીશ્વરજી મ.સા. શા યમ શ્રુતભક્તિ અને ગુરુભક્તિનું નવલું નઝરાણું આચાર્યદેવેશ શ્રીમદવિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી શ્રી અભિધાન રાજેન્દ્રકોષનો ગુજરાતી અનુવાદ પ્રગટ થઈ રહ્યો છે. તે જાણી આનંદ થયો...ગુજરાતી ભાષીઓ માટે આ મહાન અનુવાદ અમૂલ્ય ભેટ બની જશે. આ.ભ. શ્રી જયંતસેન સૂરીશ્વરજી મ.સા. શિષ્યરત્ન વિદ્વચર્ય શ્રી વૈભવરત્ન વિ. મ. સા.નું... ઋતભક્તિ ને ગુરુભક્તિનું નવલું નજરાણું...જગત્માત્ર ને ઉપકારક બને... મુનીરાજ શ્રી આવા અનેક ગ્રંથોના સર્જન સંશોધન અને અનુવાદ કરે. એ જ અપેક્ષા સાથે. ગુરુલબ્ધિ વિક્રમ ચરણોપાસકે આ. યશોવર્મસૂરિ .. આચાર્ય શ્રી હરચન્દ્રસૂરીશ્વ૨જી મ.સા. ધરા પત્ર આચાર્યદેવેશ શ્રીમદ્દવિજયજયંતસેન સૂરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી મ. સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી પરિપત્ર તથા ૧લા ભાગની આંશિક પ્રેસ-કોપી જોવા મળી. તમારો પ્રયત્ન પરિશ્રમ-સાધ્ય છે. જેઓની પ્રાકૃતસંસ્કૃતમાં ગતિ નથી તેઓને ખૂબ જ ઉપયોગી થાઓ. શ્રી અભિધાને રાજેન્દ્રકોષ ભાગ-૧ નો અનુવાદ વર્તમાનકાળમાં ઘણો જ ઉપયોગી થશે. પૂજય મુનિ વૈભવરત્ન વિજયજીના સંયમ-સ્વાધ્યાયનો મને સારો પરિચય છે. અંતરથી અનુમોદના કરૂ છું.