________________ 487 અષ્ટમ પવિ. અચિંતવી ચાલી જાય છે. કહ્યું છે કે - पुण्योदयाद् भवेल्लक्ष्मीः, नालिकेरफलेऽम्बुवत् / “અજ્ઞાતા હિ નિતિ, જનમુથિવ શ આ “પુણ્યના ઉદયથી નાળિયેરમાં પાણીની જેમ લક્ષ્મી આવે છે, અને હાથીએ ખાધેલ કપિફળની જેમ તે ન જાણીએ તેમ ચાલી જાય છે ' તેથી મારી ઈચ્છા નથી તે પણ મારે અહીંથી ચાલ્યું જવું પડશે, તેથી મારૂં મુખ શ્યામ દેખાય છે. શ્રીદેવે પૂછયું કે–“ભગવતિ ! તમે મારે ત્યાંથી કયાં જશે?” લક્ષ્મીએ કહ્યું કે-“આજ નગરમાં પૂર્વ જન્મમાં મુનિમહારાજને જેણે દાન લિધું છે, પણ પૂર્વે કરેલ કર્મને ઉદયકાળ નહિ આવવાથી ઉત્તમ એવા ભેગાદિકથી જે રહિત છે તે ભગદેવ નામે એક સાર્થવાહ રહે છે. તેને કરેલા પુણ્યને ઉદય થવાને સમય હવે પ્રાપ્ત થયો છે, તેથી ભિગદેવ એવું તેનું નામ સાન્વર્થ કરવા માટે હું તેને ઘેર જઈશ.' એમ કહીને તે દેવી અદશ્ય થઈ અને તેને ઘેરથી ચાલતી થઈ. ભગદેવ સાર્થવાહને ઘેર તેનું આગમન થવાથી થોડા દિવસની અંદર ધન, ધાન્ય, સુવર્ણ, રત્ન, મણિ, માણેક વિગેરે સમૃદ્ધિ તેને ઘેર વધવા માંડી. જે જે સ્થળે તે વ્યાપાર કરતે, તે તે સ્થળેથી ધાર્યા કરતાં અધિક લાભ તેને મળવા લાગે. ચારે તરફથી સમૃહિંથી તેનું ઘર ભરાઈ ગયું. નગરમાં મોટા માણસોમાં તેની મહત્વતા-ગણત્રી થવા લાગી. રાજ્યારે રાજાએ પણ સન્માન કર્યું. તેનું ગૃહાંગણ અશ્વ, પાલખી, દાસદાસી, નેકર અને મુનીમોથી વ્યાસ થવાને લીધે તેમાં પ્રવેશ કરે પણું મુશ્કેલ થાય તેવું સંકીર્ણ થઈ ગયું, અને આખા નગરમાં તેને થશે અને પ્રતિકા