________________ અષ્ટમ પવિ. 389 રૂ૫ જેઈને પ્રશંસા કરવા લાગ્યા કે “સૌભાગ્યશાળી નિરૂપમ" એવું ઉત્તમ કેવું રૂપ બનાવ્યું છે? ઐક્યના સારભૂત એવું આ રૂપ અતિશય ચતુરાઈથી વિધાતાએ બનાવ્યું જણાય છે.!” આ પ્રમાણે ગુણ તથા રૂપથી રંજીત થયેલા અને પ્રેમામૃતનું પાન કરતા તેઓ વિસ્મયતાપૂર્વક બેલવા લાગ્યા કે–“અહો ! રાજાએ આપણને બહુજ ઠગ્યા !" આ પ્રમાણે પરસ્પર ખેદ ધરતા તેઓ બોલ્યા કે–“આપણને રાજાએ પહેલાં છેતર્યા તે હવે આપણે રાજાને છેતરીએ તેમાં કાંઈ દોષ નથી.” પછી રાજ. કુમારીએ કહ્યું કે-“આ ભવમાં તે તમે જ મારા સ્વામી છે.” ઉદાયને પણ કહ્યું કે–“મારી પ્રાણપ્રિયા તું જ છે. આ પ્રમાણેને નિશ્ચય કરીને અંદર અંદર અનુરક્ત થયેલાં તે બંને કાંચનમાલા ધાત્રી સિવાય બીજા કેઈથી પણ ન જણાય તેવી રીતે સુખપૂર્વક સિત કામગ ભેગવવા લાગ્યા. ભણવું ભણાવવું તે તે બાહ્ય વૃત્તિએ રહ્યું, અંતરવૃત્તિએ તે વધતા જતા સ્નેહપૂર્વક તે દંપતિ દેવતાના સુખની ઉપમાને ગ્ય એવા વિષયસુખ ભોગવવા લાગ્યા. આ પ્રમાણે કેટલેક કાળ વીતી ગયે, તેવામાં એક વખતે ચંડપ્રોત રાજાને હરતીરત્ન–અનલગિરિ નામને હાથી મદવાળ થ અને પિતાને મહાન આલાનતંભ ઉખેડી નાંખીને આખા નગરમાં મોટા પવનથી સાગરમાં હેડકું જેમ ઉંચે નીચે ઉછળે તે પ્રમાણે ઘર તથા દુકાનને ભાંગતે અહીં તહીં ભમવા લાગે. હાથીના ત્રાસથી કંટાળેલા લેક ઠેકાણે ઠેકાણે પિકાર કરતા હતા. ત્રિપથ, ચતુષ્પથ તથા બીજા મોટા રાજયરસ્તાઓ ઉપર હાથીના ભયથી કોઈ નિકળતું નહિ; જે કે મનુષ્ય જરૂરી કાર્ય