SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ 318 ધન્યકુમાર ચરિત્ર. કરે, અને મારી જીંદગી પર્યત મારી અનુકૂળતાએ વ, તેને હું મારું સર્વસ્વ આપી દઉં, મારે રાખીને શું કરવું છે? લક્ષમી કોઈની સાથે ગઈ નથી, જતી નથી અને જશે પણ નહીં.” એમ કહીને ડેશીએ ઝોળી ઉઘાડીને તે વહુને બતાવી. વહુ ઝોળીની અંદર જોવા લાગી, તે તેમાં અનેક રત્નમય પાત્રો, અનેક રત્નના આભૂષણે તથા અનેક મતીના અલંકારે જોયા. તે દરેક કરેડ કરોડનાં મૂલ્યવાળાં હતાં, અને પૃથ્વીને વિષે અલભ્ય હતાં, તેણીએ કોઈ પણુ વખત નજરે પણ જયાં નહેતાં તેવાં તે હતાં, તથા તેમાં સ્ત્રી અને પુરૂષને પહેરવા ગ્ય ઉંચા કિંમતી વચ્ચે અને બીજા પદાર્થો પણ હતાં. તે વહુ તે આ સર્વ વસ્ત્ર આભરણ વિગેરે જોઇને કથા સાંભળવાનું તે ભૂલી જ ગઈ, અને તેણુના ચિત્તમાં લેભ પેઠે. લેભથી રંજીત થયેલી તે વહુ બેલી કે હે ડોશી મા ! શા માટે તમે દુઃખી થાઓ છે? તમારી સેવા હું કરીશ, તમે તે મારી માતા સમાન છે, અને હું તમારી પુત્રી છું. હું મન, વચન કાયાથી તમારી જીવન પર્યત શુદ્ધ સેવા કરીશ. તેમાં તમારે કાંઈ પણ શંકા રાખવી નહીં, અને કાંઈ પણ ભેદ રાખ નહીં. ઘરમાં આવે, અને આ ભદ્રાસનપર સુખેથી બેસે.” ત્યારે તે વૃદ્ધા ધીમે ધીમે પગલાં ભરતી જેમ તેમ મધના દ્વારની પાસે આવીને ભદ્રાસન પર બેઠી. તે વહુ ખમા, ખમા.” એમ બેલતી દાસીની જેમ તેની પાસે ઉભી રહીને તે ડોશીની ખુશામત કરવા લાગી. પછી તે વૃદ્ધાએ તે . વહુને પૂછયું કે-“હે પુત્રી! તું મને અહીં રાખવાને ઈચ્છે છે, તે શું આ ઘરમાં તેજ મુખ્ય છે કે જેથી તું નિશંકપણે મને [, નિમંત્રણ કરે છે?” ત્યારે તે વહુ બેલી કે-“હે માછ! હું
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy