________________ કમિવ સપ્તમ પલ્લવ. 281 શોભતે જિતારિ નામે રાજા રાજ્ય કરતે હતો. તે રાજા બહુ બળવાન હેવાથી ક્ષમાનો ત્યાગ કરી શત્રુઓને જીતવામાં તત્પર હતા, તેથી તેના શત્રુઓ સ્મા (પૃથ્વી) નો ત્યાગ કરીને ભાગી ગયા હતા. તે રાજાને ગીતકળામાં અતિશય કુશળ એવી ગીતકળા નામની પુત્રી હતી. એક દિવસે તે કુંવરી વસૉત્સવની કીડા કરવા માટે સખીઓના ટેળાથી પરવરી સતી ઉદ્યાનમાં ગઈ ત્યાં પ્રથમ લીલાથી હિચકવાવડ, જળક્રીડા કરવાવડે, પુષ્પ એકઠા કરવાવડે તથા દડાઓ ઉછાળવાવડેક્રીડાઓ કરીને ત્યારપછી યુવાનના મનને વિશ્રમમાં નાખનાર અને સુંદર રાગેથી મને હરએવું મધુર ગીતગવાને તેણે આરંભ કર્યો. જેવી રીતે અદ્ભુત એવા હાવભાવ વિભ્રમ, તથા કટાક્ષેથી કામી દષ્ટિવાળા મનુબે રૂપવાન સ્ત્રી તરફ આકર્ષાય છે અને તેને વશ થઈ જાય છે, તેવી જ રીતે તેના ગાયેલા ગીતની મધુરતાથી આકર્ષાયેલા હરણ તથા હરિઓ કરેંદ્રિયને પરવશ થઇને ત્યાં આવી ગીતકળાની આસપાસ બેઠા. તે વખતે તે કુરંગાક્ષી ગીતકળાએ કૌતુકથી એક હરિણીના ગળામાં પિતાને ઉત્તમ એ સાત સરવાળો હાર પહે-- રાવી દીધું. તે કુરંગી હરિણી તે ગીત બંધ થયું, એટલે ત્યાંથી નાશી ગઈ. રાજકુંવરી પણ ગીતગાન બંધ કરીને પિતાના મહેલમાં. આવી; પછી તેણએ પિતાના પિતાને કહ્યું કે– મારી એક પ્રતિજ્ઞા આપ સાંભળે. આજે મેં ગીતકળાથી આકર્ષાયેલી એક હરિણીના ગળામાં મારે સાતસરને હાર પહેરાવી દીધો છે. હવે જે પુરૂષ છે, તાની રીતકળાની કુશળતાવડે આનંદિત અંતઃકરણયુક્ત થયેલી તે મૃગલીન ગળામાંથી ગ્રહણ કરીને મારો હાર મને આપશે તેની સાથે હું પાણિગ્રહણ કરીશ–તે મારે પતિ થશે.” રાજા તેની આવી મા તથા ગાતની ત્યા કરી