SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ 270 * ધન્યકુમાર ચરિત્ર. વાની ઇચ્છા હોય, તે તેમને પણ શિક્ષા કરવાને હું સમર્થ છું. જે આપણા રાજા હું શતાનિક (સે રાજાને જીતનાર) છું તેવા નામની ખ્યાતિથી જ ગર્વ ધારણ કરતા હોય, તે હું લક્ષાનિક (લાખે સૈન્યને જીતનાર) છું; તેથી શતાનિક મારી પાસે કોણ માત્ર છે?” ( આ પ્રમાણેનાં ધકુમારે સ્વમુખે ઉચ્ચારેલાં ગર્વયુક્ત કઠોર વચનો સાંભળીને તે આવેલ પુરૂષ તરતજ રાજાની પાસે ગયા. અને નમસ્કાર કરીને જે હકીકત બની હતી તે વિગતથી કહી સંભળાવી. રાજા પણ તેનાં ગર્વયુક્ત વચને સાંભળીને બહુ ક્રોધાયમાન થે, અને પ્રેમનું સ્થાન હતું તે વેરનું સ્થાન થઈ છે Fગયુંસ્માર પછી શતાનિકે રાજાએ યુદ્ધ કરવા માટે તૈયાર કરેલા પિતાની સૈન્યને ધન્યકુમારના મહેલ પાસે કહ્યું. તે વખતે ધન્યરાજાએ પણ તે લશ્કરનું આગમન સાંભળીને પિતાનું હસ્તિસૈન્ય, અશ્વસૈન્ય, પાયદળ સૈન્ય વિગેરે એકઠું કરીને - તાનિક રાજાના લશ્કર સાથે તુમુલ યુદ્ધ શરૂ કર્યું. યુદ્ધ શરૂ થયા પછી થોડા જ વખતમાં ગાજતા એવા હાથી, ઘડા વિગેરે યુક્ત શતાનિક રાજાના સૈન્યને નદીના પ્રવાહને પર્વત કી 'રાખે તેવી રીતે ધન્યકુમારે પરા મુખ કરી નાખ્યું ના બધા સૈનિકે કાગડાની જેમ નાસી ગયા. તે વખતે પિતાના સૈન્યને દીનભાવ પામેલું અને નાસતું જોઈને શતાનિક રાજા પિતે વધારે - બળવાન સૈન્ય લઈને વિષાદપૂર્વક ધન્યકુમારને જીતવા માટે ચા ધન્યકુમાર પણ તે વૃત્તાંત સાંભળીને પોતાના મહેલની પૂરતી રક્ષા થાય તેવો પ્રબંધ કરીને પિતાના લશ્કરને લઈ શતાનિક રાજાની સામે લડાઈ કરવા ચોલ્યા. અનુક્રમે તેઓ મળ્યા, અને લડાઈ શરૂ થઈ. તેઓ બંને જ્યારે લડાઈ કરવા લાગ્યા ત્યારે
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy