________________ ભવનાં દુ:ખિયારાં [2] ગંગા અને સોન નદીનાં નીર જ્યાંથી વળાંક વળતાં હતાં, એ નગરને એક નિર્જન છેડે, તીર પરનાં આંબાવાડિયાં પાસે; રાજગૃહીના ગગનચુંબી કેટની મર્યાદા જ્યાં પૂરી થતી હતી ત્યાં, બસોએક કૂબાઓની વસતી આવેલી હતી. આ કૂબાઓમાં રાજગૃહીના ચાલો વસતા હતા. આ ચાંડાલોનો ઇતિહાસ આર્યાવર્તથી ય જૂનો હતો. જે વેળા સંસ્કૃતિ અને સામ્રાજ્ય સ્થાપવા માટે આર્યોનાં ટોળાં હિમાચલ ઓળંગી આ તરફ આવ્યાં, ત્યારે દસ્યુઓનાં રાજ હતાં. આ દસ્યુઓને આર્યોએ અનાર્ય કહ્યાં, અને એમને પરાજિત કરી આર્ય સામ્રાજ્ય જમાવ્યું. આ આર્ય સામ્રાજ્ય પછી પિતાને મનગમતી રચના કરી. એકને સ્થાપિત હક્ક બીજા છીનવી ન શકે, એકની જન્મજાત મોટાઈ કઈ હણી ન શકે એ માટે પ્રજાના ભાગ પાડ્યા. આ ભાગલામાં જેઓને ભાગ અસ્પૃશ્યતા, હીનતા આવી તે શક ! ચાંડાલ એ શની એક જાત ! આ જાત માથે ગામનગરની ગંદકી દૂર કરવાની ફરજ અને એ ગંદકી ગામમાં પાછી