________________ જીવનશુદ્ધિ 277 રાતનો ભૂલ્યા રે માનવી, દિવસે મારગ આય, દિવસનો ભૂલ્યો રે માનવી, ફિર ફિર ગોથાં ખાય. હે પરદેશી !" ‘દિવસને ભૂલ્યો રે માનવી !' આ શબ્દો રહિણેયના દિલમાં વારે વારે ઘેળાવા લાગ્યા. ખરેખર, હું દિવસને ભૂલ્યો છું. છતી શક્તિએ, છતે જ્ઞાને, છતાં સામર્થે મેં કંઈ શુભ ન કર્યું ! કેઈના પર ઉપકાર ન કર્યો ! ન સ્વાર્થ સાધ્યો ન પરમાર્થ ! મહામાત્યને શંકાશીલ બનાવે એવી ચતુરાઈથી પણ શું કારજ સયું ! શું પકાર કે શું પર ઉપકાર હાંસલ થયો? ઉપકાર ! ઉપકાર તો જ્ઞાતપુત્રને! એના શબ્દો ન સાંભળ્યા હોત તે આજે મારું શું થાત ! જીવન કેવું ભયંકર બનત! ભલે, દાદા ભૂલ્યા, હું નહિ ભૂલ કરું ! અરે, દાદાની ભૂલમાં લાખેણું પલ્લીવાસીઓ સદાને માટે છુંદાઈ ગયા. જ્ઞાતપુત્ર મારા ઉપકારી ! મારા જેવા દિવસના ભૂલ્યાને એ જ માર્ગ બતાવશે. રોહિણેય ભાવુક બની ગયો. પેલા સુર તે વહ્યા આવતા હતા. “સગુરુ કઈ વસ્તુ વરિયો, જે કાંઈ આરે સાથ, આપણે કલાભ ઉગારીએ, લેખું સાહિબ હાથ. હે પરદેશી ! જરૂર, જ્ઞાતપુત્ર જેવા સશુના ચરણે જવું! આ બધું મિથ્યા છે. અને રોહિણેયે સૂરની દિશા તરફ દોટ મૂકી. વૈભારપર્વતને ગિરિમાર્ગ અનેક ઘુઘરિયાળી વેલેથી, સુંદર શિબિકાઓથી, હય, વાજિ ને રોથી મુખરિત થઈ રહ્યો હતો. 4 શ્રી લાભ વિજયજી.