________________ 276 મહર્ષિ મેતારજ ઉલટ એને ઝનૂની બનાવ્યો. લૂંટફાટ, હત્યા, ચેરી, ખુન, કલેઆમ ! જાણે રોજના વ્યાપાર! અને સહિણેયના શ્રવણપર કઈ મધુર અવાજ અશ્રાવ્ય રીતે સ્પર્શવા લાગ્યો. ઉકળેલા એના દિલને સહેજ સાતા વળી ! એને પિલા જ્ઞાતપુત્રની યાદ આવી. અમારા વંશને એ મહાન. શત્ર! પણ એની યાદ કેમ પ્રિય લાગે છે? જેનું સ્મરણ કરવું નથી, એ વારેવારે સ્મરણપટમાં ક્યાંથી ઊભરાય છે? સાધુ થયો એટલે અમારે સમોવડિયો નહીં, બાકી એ ય રાજપુત્ર છે, ક્ષત્રીનાં રણવાદ્યોને પૂજક છે. શરીરેય સમર્થ છે. લોભાવે તેવી કાન્તિ પણ છે. પછી શા માટે આ ભવાડા કરે છે ! ત્યાગ, વૈરાગ્યની આ શી જંજાળ ! અને વિચારશીલ રોહિણેય ઊંડા વિચારમાં ઉતરી ગયો. એકએક લાંબા સૂરે ગવાતું કેઈ ગીત એને કાનને સ્પર્યું. પવનની ઉપર સવારી કરીને એ સૂરે આવી રહ્યા હતા. “હે પરદેશી— પરદેશમેં, કુણ શું કરે રે ને ! આયા કાગળ ઊઠ ચલા, ન ગણે આંધી ન મેહ-ન્હો પરદેશી ! મનોમંથનની જવાલામાં સપડાયેલા દિલ પર આ શબ્દો જાણે. વીંઝણા ઢાળતા લાગ્યા. ભમરો આવ્યો રે કમળમાં, લેવા કમળનું ફૂલ, કમળની વાંછાએ માંહી રહ્યો, જિમ આથમતે સૂર. હે પરદેશી !