________________ 278 મહષિ મેતારજ મગધના નાથ, મગધનાં મહારાણી, મગધના મહામંત્રી, મગધની પ્રજા પ્રભુ મહાવીરની પધરામણીએ ચાલી હતી. સહુ સહુ પિતપતાના સાથ ને સંઘમાં હતા. નગરશ્રેષ્ટિ મેતારજ પણ પોતાના સંધ સાથે પ્રયાણ કરી રહ્યા હતા. આઠ રૂપયૌવનભરી પત્ની સાથે હતી. અનેક દાસદાસ પણ સાથે હતાં. મગધના ઈભે, તલવારો, ને બીજા અનેક સામે પણ આ નવા માર્ગ પર જઈ રહ્યા હતા. સહુના મુખપર એક જાતને આનંદ હતો, ઉત્સુકતા હતી. મેત લેકેનું એક મોટું ટોળું લાંબે સાદે કંઠકંઠ ને સૂરેસૂસ મિલાવી ગાતું ગાતું ચાલ્યું જતું હતું. આ નવમાર્ગ નિર્માણનું અભિમાન એમના મુખપર હતું. તમે બધા કયાં જાઓ છો ?" રહિણેયે પ્રશ્ન કર્યો. આ નવીન માર્ગે જ્ઞાતપુત્ર મહાવીર રાજગૃહીને પાવન કરવા પધારે છે. હમણાં થોડેક દૂરના એક વનત્યમાં રહેલ છે. તેમના દર્શનાર્થે જઈએ છીએ.” જ્ઞાતપુત્ર? રહિણેય બબડ્યો, પણ અત્યારની એની મનોદશા. જુદી હતી. ભલે ગમે તેવા તે ય જ્ઞાતપુત્ર પિતાના ઉપકારી. એનાં ચાર વાક્યોમાં તે પોતાને રૌરવ નરકમાંથી બચાવ્યો. જ્ઞાતપુત્રના દર્શનાર્થે જાઓ છો ? ચાલો, ત્યારે સહુથી પહેલે હું શા માટે ન જાઉં! આવો સંયોગ ફરી ક્યારે મળશે! હિણેય રાજમાર્ગની બાજુની ઊંચી ટેકરી પર ફરીથી ચડી ગયો. રાજમાર્ગના પ્રવાસીઓ આ વિચિત્ર પુરુષને અદશ્ય થત નીરખી રહ્યા. એ મૃગબાળીની જેમ ખાડાટેકરા કૂદત, નદીનાળાં