SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર્ગલોકમાં 265 “સ્વામીનાથ ! અન્ય દેવતાઓ આપનું સ્વાગત કરવા સ્વર્ગભૂમિની વીથિકાઓમાં સજ્જ થઈને ખડા છે. કૃપા કરીને અવિલંબે વિધિ સમાપ્ત થવા દે ! બેલો, આપનાં કૃત્યની કથા કહો ! અમે શ્રવણ કરીએ છીએ !" ક્ષણભરની આંધી પછી જેમ દિશાઓ પ્રસન્ન થઈ ઊઠે છે, એમ મૂંઝવણની એક પળ પસાર થતાં જ એ પુરુષ સાવધ થઈ ગયો. એણે કહેવા માંડ્યું: “હે મૃગચનાઓ ! પૃથ્વી પર હું તદ્દન નિર્દોષ જીવન ગાળતે હતો. ઘેર ખેતી કરતે, નાનાં ગોકુળ ચારતો ને પાડોશીઓથી પ્રેમ કરત. ઋતુતુના યમનિયમ ને માસમાસના જુજવા ધર્મબંધનો હું પાળત. સાધુસંતોની સેવા કરતો.” સુંદર ! ધન્ય છે તમને ! હવે તમારાં દુષ્કૃત્ય વર્ણ એટલે વિધિ સમાપ્ત થાય ! જુઓ, હણે તમારા સ્વાગતના ઉત્સાહી દેવતાઓ શંખસ્વર વિકસાવી રહ્યા છે.” સુંદરીઓ, મારું સંપૂર્ણ જીવન સાધુસંતના સમાગમને લીધે દુષ્કૃત્યરહિત વ્યતીત થયું છે.” ખરેખર સાધુવાદને પાત્ર છે. પણ હે પ્રિય દેવ ! માણસ માત્ર ભૂલને પાત્ર છે. આખા જન્મમાં કંઈને કંઈ પ્રગટ કે અપ્રગટ કૃત્ય તો સહુને થયાં જ હોય છે. કંઈ ચોરી, કંઈ યારી, કંઈનું કંઈ ?" અશક્ય, પ્રિય સુંદરીઓ, અશક્ય!” પુરુષ ખડખડાટ હસી પડયો. “શું એવાં દુષ્કો કરનારને આવું સ્વર્ગલોક મળે ? તમારા જેવી અનેક કેમલાંગીઓ સાંપડે ! અંધ પુરુષ તે વળી પર્વત ઓળંગી શકે! પાપી માનવીને આ પુણ્યવાન પ્રદેશમાં પ્રવેશવાને શો અધિકાર!” અપ્સરાવુંદ વિમાસણમાં પડી ગયું. એમણે પુનઃ પુનઃ પુરૂને વિનવણું કરતાં કહ્યું
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy