________________ 264 મહર્ષિ મેતારજ આ સુંદર અપ્સરાઓ મારી સેવિકાઓ છે?” અને પુરુષ વિશેષ વિચારમાં ઊતરતો ગયો. એણે સામે ઊભેલી સુંદરીઓ પર એક શ્રમભરી નજર કરી. ખડની દીવાલ પર ઝળહળતા દીપકોના પ્રકાશમાં એ લાંબા સુંદર પડછાયા પાડતી ઊભી હતી. પ્રતિહારિકાઓની ફૂલમાળાઓ ચૂંથાઈ ને કંઈક કરમાયેલી લાગતી હતી. દીર્ધ શ્રમ અને રાતના ઉજાગરે ઘેઘૂર બનેલાં એમનાં વિશાળ લેચને વારેઘડીએ ઉઘાડમીંચ થતાં હતાં. સાચેસાચ આ અપ્સરાઓ હશે ? શું રોહિણેય મૃત્યુ પામ્યા હશે! એણે વિમાસણમાં સેજ પરની અસરાના હસ્તને ખેંચો. અપ્સરાના કોમળ હસ્ત પર પ્રસ્વેદ હતે. - એને પગમાં લાગેલા તીરને કાઢતાં કાઢતાં અચાનક સાંભળી લીધેલ જ્ઞાતપુત્રનાં વાક્ય યાદ આવ્યાં “મહાનુભાવો, સત્કર્મ કરનાર દેવપદને પામે છે. દેવોને રાજા ઈદ્ધ છે ને તે સ્વર્ગમાં રહે છે. દેવો કેવા હોય છે, તે જાણે છે ? તેમના ચરણ પૃથ્વીને કદી સ્પર્શ કરતા નથી, તેમનાં નેત્રો કદી ઉઘાડમાંચ થતાં નથી, એમની પુષ્પમાળાઓ કદાપિ કરમાતી નથી અને એમને દેહ પ્રસ્વેદથી રહિત હોય છે.” * “દગો ! દગાર સાથે દગો !' પુરૂના મસ્તિષ્કમાં કોઈએ નવો પ્રકાશ રેડડ્યો. મહામંત્રી અભય એને યાદ આવ્યો. વગર ઋતુએ પિતાની માતાને દેહદ પૂરવા જેણે વૈભાર પર્વત પર મુશળધાર વરસાદ વરસાવ્યો હતો, એનાથી શું અશક્ય હાય! નક્કી દગો ! પુરુષ અજબ વિમાસણમાં પડી ગયો. વિધિમાં વિલંબ થતો હેવાથી એને સાવધ કરવા અસરાએ નજીક જઈ લલિત રીતે દેહસ્પર્શ કરતાં કહ્યું