________________ 154 મહષિ મેતારજ wwwwwww સફળ લેખતા હતા. કેવળ રહિણેય જ આ પ્રયાસને નિષ્ફળ પ્રયાસ લેખી ઘણીવાર દુઃખ જાહેર કરતે. આટઆટલી માહિતીઓ, આટઆટલા વેશ પરિધાને, આટઆટલી જહેમત લીધી પણ ધાર્યું ન થયું. મારે કંઈ લક્ષ્મીની ભૂખ નહોતી. મગધરાજના સિંહાસન પર બે દહાડા પણ રહિણેયની છત્રછાયા ઢોળાત તે કેવી નામના થાત ! મારા નામની મુદ્રાઓ, મારા નામના હુકમ : મારા નામનો જયજયકાર !" કેવી બાલીશ કલ્પના !" વવદ્ધ ને અનુભવી સાથીદારો હસી પડતા. રોહિણેય છેડાઈને કહેઃ “કલ્પના નથી, દાદાની ભાવનાની પરિપૂતિ છે. મગધના ક્યા સૈનિકેથી તમે ઓછા ધનુર્ધર છો? ક્યા વીરથી તમે ઓછા પરાક્રમી છે ! શા માટે તમે લૂંટારા અને તેઓ કીતિવાન સિનિક ! બંનેનું પણ એક જ સ્થળેથી થાય છે. તેઓ પણ પ્રજાને લૂટે છે. આપણે પણ પ્રજા પાસેથી બાવડાના બળે મેળવીએ છીએ! પછી શા માટે તમે હીન! તમે નીચા ! બ્રાહ્મણો ને ક્ષત્રિય કેમ મેટા?” રોહિણેયના શબ્દોમાં અમોઘ બળ હતું. શેખી કરતા બધા સાથીદારોના દિલમાં એકાએક સ્વાભિમાન ઊગી આવ્યું. એમનાં મસ્ત મગરૂરીમાં ટટ્ટાર બની રહ્યાં. મારે તે હિણાયેલાઓનું રાજ માંડવું હતું. આજે બે દિવસની બાદશાહી મેળવી તે કાલે મારે કઈ સમેવડી એથી અદકું પરાક્રમ કરી બતાવત, પણ નસીબે સાથ ન પૂર્યો ! " હજી ક્યાં જિંદગી વીતી ગઈ છે?”