________________ હાથ તાળી [14] ગંગાની ગિરિકંદરાઓમાં સરી ગયેલો રોહિણેય ઘાયલ વાઘની જેમ કૂદ, તાડૂક વૈભારગિરિની ગુફામાં આવીને છૂપાઈ ગયે. આ પ્રચંડ ગિરિમાળની કિલ્લેબંદી ભેદીને આવવાની કોઈની તાકાત નહોતી. એના શરા સાથીદારોની માવજતમાં એ કેટલાક દિવસો ઘાની સારવાર કરાવતે પડ્યો રહ્યો. પણ માતંગ અને મેતાર્યને સાજા થતાં જેટલા દિવસો લાગ્યા એટલા દિવસે એને ન લાગ્યા. પર્વતનાં વૃક્ષમૂળાએ, વનલતાઓના રસએ અને જાનવરોના અંગેમાંથી ઉપજાવેલી ઔષધિના બળે એ જલદી સાજો થઈ ગયો. એના ઘા પૂરાઈ ગયા ને ફરીથી એની નસોનું લેહી થનગનાટ કરવા લાગ્યું. રોહિણેય અને એના દાદાના સ્વભાવ વચ્ચે એક જ મેટે ભેદ હતે. એના દાદાની વીરતા અવિચારી ને કર હતી. રોહિણેય વિચારશીલ હતે. એ દરેક બાબતની સારાસારતાને તાગ લઈ શકતો. એને દાદ જ્યાંથી પાછો પડતો ત્યાં જ ફરી પાછો ઝનૂનપૂર્વક સામે ધસતે, ને મારીને કાં મરીને જ નિરાંત લેતે. વીર ને વિચારશીલ રોહિણેય આ બાબતમાં જુદો પડત. રાજગૃહીની એની પ્રચંડ લૂટ પછી દ્રવ્યની તે રેલમછેલ થઇ ગઈ હતી. એણે સાથીદારોને ધરવી દીધા હતા, અને સહુ આ લૂંટને