________________ ૧૫ર મહર્ષિ મેતારજ જરૂર નથી; એમ આ મહાપુરુષ સ્વયં પિછાની શકાય છે. છતાં ય તત સુવર્ણના જેવા વર્ણવાળા, સાત હાથની કાયાવાળા એ પરમ તારણહારને પિછાણવા બહુ સહેલ છે. ગાય દેહવાના આસનની જેમ બેઠેલા, સુગંધમય શ્વાસોશ્વાસવાળા એ પ્રભુને પગે સિંહનું લાબું (લાંછન) છે.” ધન્ય છે કુમાર તમારી વિદ્વતાને, તમારા પ્રવાસને ! જાણ સ્વચક્ષુએ નિહાળતા હોઈએ એમ ભાસે છે. તમારી વર્ણન શૈલી ને તમારી નિરીક્ષણ શક્તિનાં અમે ભૂરિસૂરિ અભિવાદન કરીએ છીએ.” મગધરાજ, મહામાત્ય ને સર્વ સભાજનેએ ઉપરના શબ્દોમાં કુમારનાં વખાણ કર્યા આઠ આઠ કન્યાઓનાં માગની રસભરી કથાઓ પૂર્ણ થયા પછી મહાસતી ચંદનાની વાતોએ પ્રજાના હૃદયમાં જ્ઞાતપુત્ર પ્રત્યે નવીન જ સ્નેહ જન્માવ્યો. રાજગૃહી કેટલાય દિવસ સુધી કર્ણોપકર્ણ આવી ચર્ચાઓ કરવામાં મગ્ન રહ્યું.