________________ 91. નમો ચૌદ પૂર્વરૂપ સૂત્રોની રચના કરનારા શિષ્યોને ગણધર પદે સ્થાપતા અરિહંતોને 92. નમો સર્વ સુરો, અસુરો અને મનુષ્યો વડે નમસ્કૃત ચતુર્વિધ સંઘને સ્થાપતા અરિહંતોને 93. નમો સર્વ પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોને વિશે કરુણાભાવવાળા અરિહંતોને 94. નમો દેવેન્દ્રો, ચક્રવર્તિઓ, વાસુદેવો અને બલદેવો વડે વંદાતા અરિહંતોને 95. નમો અનુત્તર વિમાનવાસી દેવતાઓના સંશયને દૂર કરતા અરિહંતોને 96. નમો શુક્લ લેગ્યાએ તેરમે ગુણઠાણે રહેલા અરિહંતોને 97. નમો જીવ, અજીવ વગેરે પદાર્થોને પ્રકાશતા અરિહંતોને 98. નમો આયુ.કર્મને પરોપકાર વડે સુંદર રીતે સમાપ્ત કરતા અરિહંતોને 99. નમો લોકાગ્રે જવાને યોગ્ય ક્ષેત્રે આવેલા અરિહંતોને 10). નમો સિદ્ધિસુખને આપનારા અંતિમ તપને કરતા અરિહંતોને 101. નમો ચૌદમે ગુણસ્થાને રહીને શૈલેશીકરણ કરતા અરિહંતોને 102. નમો સર્વ સુરાસુરોથી વિરચિત ચરમ સમવસરણમાં વિરાજમાન અરિહંતોને 103. નમો અનાદિ કર્મસંયોગથી સર્વથા મુક્ત થયેલા અરિહંતોને 104. નમો દારિક, તેજસ અને કાર્મણ શરીરથી રહિત અરિહંતોને ૧૦પ. નમો રાગદ્વેષરૂપ જળથી ભરેલા સંસાર સાગરને સારી રીતે તરી ગયેલા અરિહંતોને 10. નમો જીવપ્રદેશોને શરીરના ત્રીજા ભાગે ન્યૂન અને ઘન કરતા અરિહંતોને 107. નમો પૂર્વધ્યાન પ્રયોગથી ધનુષ્યમાંથી છૂટેલા બાણ જેવી ગતિને પામેલા અરિહંતોને 108. નમો શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એવા સિદ્ધિગતિ નામના સ્થાન પામેલા અરિહંતોને. 1. મેરુ પર્વત જેવી નિશ્ચલ આત્મદશા. 2. યોગનિરોધને અભિમુખ ભગવાન જે ધ્યાનક્રિયા કરે તેથી. અરિહંતના અતિશયો 32