________________ 4. શ્વાસોચ્છવાસ સુગંધી. આ અતિશય ગુણ કર્મક્ષયિક છે : 1. એક યોજન માત્ર ક્ષેત્રમાં હજારો કરોડો લોકોનો બાધારહિત સમાવેશ. 2. સૌને પોતપોતાની ભાષામાં સમજાતું ધર્મબોધક વચન. 3. પૂર્વે ઉત્પન્ન થયેલ રોગોનો પ્રશમ. 4. ઇતિનો પ્રથમ. 5. વૈરનો પ્રશમ. 6. મારીનો પ્રશમ. 7. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન થાય. 8. કુર્મિક્ષ ન હોય. 9. સ્વચક્રભય ન હોય. 10. પરચક ભય ન હોય. 11. મસ્તકની સ્ટેજ પાછળ સૂર્યસમાન ભામંડલ. દેવતાઓએ ભક્તિથી કરેલા અતિશયગુણો આ રીતે છે :1. ધર્મચક્ર. 2. ત્રણ છત્ર. 3. રત્નમય ઇન્દ્રધ્વજ. 4. શ્રેષ્ઠ શ્વેત ચામર. 5. પાદન્યાસાર્થે સુવર્ણમય કમળો. 6. ચતુર્મુખતા. 7. ત્રણ ગઢ. 8. સિંહાસન. 9. દુંદુભિ. 10. અશોક વૃક્ષ. 11. કાંટાઓનું અધોમુખ થવું. 12. નખ અને રોમ અવસ્થિત (સદા એકસરખા રહેવા). 13. પાંચ ઇન્દ્રિયવિષયો મનોરમ થાય. 14. છએ ઋતુઓ મનોહર થાય. અરિહંતના અતિશયો 273