________________ 15. ગંધોદકની વૃષ્ટિ અને પાંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ. 16. પ્રદક્ષિણગતિવાળાં પક્ષીઓ. 17. પવન અનુકૂલ. 18. વૃક્ષો નમે. 19. ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિક દેવતાઓ ઓછામાં ઓછા એક કરોડ તો સમવસરણમાં હોય જ. બોધિલાભ માટે સંશયને દૂર કરવાના અર્થી એવા આવતા અને જતા દેવતાઓથી ભગવંતના પાદમૂલ સદા અવિરહિત હોય.' ચાર જન્મથી, અગિયાર કર્મક્ષયથી અને ઓગણીશ દેવકૃત એમ ચોત્રીશ અતિશયોને હું વંદન કરું છું. જિનના આ ચોત્રીશ અતિશયો મેં સંક્ષેપથી વર્ણવ્યા. જિનવૃષભો મને શ્રુતજ્ઞાન અને બોધિલાભ આપો. 1. બોધિલાભ માટે સંશયનાશના અર્થી એવા આવતા જતા દેવતાઓ ભગવંત પાસે સદા હોય. 2. તીર્થકરો. શાસ્ત્રોમાં અવધિજ્ઞાનની લબ્ધિવાળા વર્ગરે મુનિઓને પણ ‘જિન' કહ્યા છે, તે બધામાં વૃષભ=શ્રેષ્ઠ. 174 અરિહંતના અતિશયો