SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સમવસરણમાં ચતુર્મુખ હોય છે, ત્યારે ભગવંતની દરેક આકૃતિની બન્ને બાજુ દેવતાઓ વડે ચામર વીંઝાતા હોય છે. સૂત્ર દ્વારા વર્ણન કરતાં શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - आगासगयाओ सेयवरचामराओ / આકાશમાં અત્યંત દેદીપ્યમાન અને શ્વેત શ્રેષ્ઠ ચામરો વીંઝાય છે. શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાં અન્ય વાચનામાં મળતું એક મૂલ સૂત્ર આ રીતે આપેલું છે - ___ उभओ पासिं च णं अरहंताणं भगवंताणं दुवे जक्खा कडतुडियर्थभियभुया चामरुक्खेवणं करंति / શ્રી અરિહંત ભગવંતની બન્ને બાજુએ જેઓની ભુજાઓ ઉપર અત્યંત મૂલ્યવાન આભૂષણો છે, એવા બે યક્ષ દેવતાઓ ચામર વીંઝે છે. તિલોયપત્તિમાં કહ્યું છે કે - મૃણાલ, કુંદપુષ્ય, ચંદ્રમા અને શંખ સમાન શ્વેત અને નમેલા દેવતાઓના હાથો વડે વીંઝાતા ચામરો વડે ભક્તિ કરાતા શ્રી જિનેન્દ્ર ભગવંત જયવંતા વર્તે છે.' તે ચામરોમાં રહેલા વાળ એટલા બધા શ્વેત અને તેજસ્વી હોય છે તેમાંથી ચારે બાજુ કિરણો નીકળતાં હોય છે. તે ચામરોને ઉત્તમ રત્નોથી ખચિત મન સાનાના દંડ થાય. ) હોય છે, તેમાંથી પણ રંગ-બેરંગી તેજવી કિરણો નીકળ.નાં હોય છે. જે દેવતાઓને હાથમાં તે ચામરી હોય છે, તે દેવતાઓ અને તેનાં આભૂપમાં પણ તેજસ્વી હોય છે. તે આભૂષણોમાંથી પણ પ્રકાશ વહેતો હોય છે. આ બધાં કારણોથી જયારે તે ચાના વીંઝાતા હોય છે ત્યારે તે ચામરોની ચારે બાજુએ તેજસ્વી કિરણો જાણે ચ ન કરતાં હોય તેવો ભાસ થાય છે. જોનારને એવો આભાસ થાય છે કે જાણે અનેક ઇન્દ્રધનયો નૃત્ય ન કરી રહ્યાં હોય’ ! લોકપ્રકાશમાં કહ્યું છે કે - ચન્દ્રમાં સમાન ઉજ્જવલ ચામર વારંવાર નીચે અને ઊંચે વી રહ્યા હોય છે. તેઓ નમન (નીચે જવું) અને ઉન્નમન (ઊંચ જવું) વડે સૂચવે છે કે - પ્રભુને નમસ્કાર કરવાથી સજ્જનો ઊંચી ગતિને પામે છે." છે 1 ઉ૮, અતિશય 8. જ છે .•ાંતર સૂત્રમાં અતિશય-૨૦. '. ' દુર્થ મહાધિકાર. ': ': વે સારી ગો, 840 વત્તિનો ભાવાર્થ છે. છે. '' 3'), પૃ. 312. 456 અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy