________________ આ પ્રાતિહાર્ય વિશે શ્રી વીતરાગસ્તવ અને તેની ટીકા તથા અવચૂરિમાં કહ્યું છે કે - હે ભગવન્! આપ જ્યારે સમવસરણમાં વિરાજમાન હો અથવા પૃથ્વીતલન વિહાર વડે પાવન કરતા હો ત્યારે આપ સુરો અને અસુરોના હાથમાં રહેલ ચામરોની શ્રેણિથી નિરંતર વીંઝાઓ છો. હે સ્વામિનું ! શરદ ઋતુના ચંદ્રમાના કિરણોના સમૂહ જેવા ઉજ્વલ એવા તે ચામરો બહુ જ સુંદર રીતે શોભે છે. આ દૃશ્ય જોતાં જ એવું લાગે છે કે જાણે ચામરો રૂપી હંસોની શ્રેણી આપના મુખકમલની પરિચર્યા સમુપાસનામાં પરાયણ-તત્પર ન હોય ?" હે દેવાધિદેવ ! આપના મુખને કવિઓ કમલની ઉપમા એટલા માટે આપે છે કે આપનું મુખકમલ કોમલ કંઠરૂપ નાલથી સહિત છે, લાલિત્યથી પરિપૂર્ણ એવા અધર (ઠ) રૂપ દલોથી શોભે છે, દંતપંક્તિનાં કિરણોરૂપ કેસરોની શ્રેણીથી વિરાજિત છે, તિલ આદિ શુભ ચિહ્નરૂપ ભ્રમરોથી પરિચુંબિત છે, સ્વભાવથી જ સુરભિ (સુગંધી) છે અને કેવલ્યરૂપ લક્ષ્મીનું નિવાસસ્થાન છે.” કલ્યાણમંદિર સ્તોત્રમાં આ પ્રાતિહાર્ય ગર્ભિત સ્તુતિ વડે કહ્યું છે કે -- स्वामिन् ! सुदूरमवनम्य समुत्पतन्तो, मन्ये वदन्ति शुचयः सुरचामरौघाः / येऽस्मै नतिं विदधते मुनिपुंगवाय, ते नूनमूर्ध्वगतयः खलू शुद्धभावाः / / 22 / / હે સ્વામિનું! હું એમ માનું છું કે - દેવોથી વીંઝાતા પવિત્ર-ઉજ્વલ ચામરોના સમૂહ અત્યંત નીચા નમીને ઊંચે ઊછળે છે તેઓ જાણે એમ કહેતા હોય કે - જે પ્રાણીઓ મુનિઓને વિષે શ્રેષ્ઠ એવા આ શ્રી પાર્શ્વનાથ પ્રભુને નીચે નમીને નમસ્કાર કરે છે, તેઓ શુદ્ધ ભાવવાળા થઈને ઊર્ધ્વ ગતિમાં જાય છે - મોક્ષપદને પામે છે. આ પ્રાતિહાર્ય વિશે ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે -- कुन्दावदातचलचामरचारुशोभं, विभ्राजते तव वपुः कलधौतकान्तम् / उद्यच्छशाङ्कशुचिनिर्झरवारिधार मुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् / / 30 / / મોગરાના પુષ્પ જેવા શ્વેત વીંઝાતા ચામરો વડે સુંદર શોભાવાળું અને સુવર્ણ 8 થી 1. વી. સ્ત. પ્ર. 5 શ્લો. 4 ટીકા. અવ. 2. આ પ્રાતિહાર્યથી ગર્ભિત મંત્ર આ રીતે પ્રાપ્ત થાય છે -- ॐ ह्रीं चामरप्रातिहार्योशोभिताय श्री जिनाय नमः / - મહી. નવે , 5, ( 1 / અરિહંતના અતિશયો ૭પ૭