SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ स्वर्गापवर्गगममार्गविमार्गणेष्ट - सद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्याः / दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व, भाषास्वभावपरिणामगुणप्रयोज्यः / / સ્વર્ગ અને મોક્ષ તરફ જનાર માર્ગને શોધનાર જે સદ્ધરૂપ સારભૂત તત્ત્વ, તેને ત્રણે લોકને કહેવામાં અત્યંત નિપુણ એવો આપનો દિવ્યધ્વનિ સ્પષ્ટ અર્થવાળો અને સર્વ ભાષાઓના સ્વભાવરૂપે પરિણમવારૂપ જે ગુણ તેનાથી પ્રયુક્ત હોય છે. આ જ ગાથા આ રીતે પણ મળે છે : भाषाविशेषपरिणामविधौ पटिष्ठो जीवादितत्त्वविशदीकरणे समर्थः / दिव्यध्वनिर्ध्वनितदिग्वलयस्तवार्हन् !, आकर्षति प्रवरमोक्षपथे मनुष्यान् / / હે અહનું! સર્વ ભાષાઓમાં પરિણમવામાં અત્યંત નિપુણ અને જીવ વગેરે તત્ત્વોને સ્પષ્ટ કરવામાં સમર્થ એવો તમારો દિવ્ય ધ્વનિ સર્વ દિશાઓને ધ્વનિત કરતા મનુષ્યોને શ્રેષ્ઠ મોક્ષપથને વિષે આકર્ષે છે. | દિવ્ય ધ્વનિ વિશે ઉપમિતિમાં કહ્યું છે કે - ત્રણ પ્રકારની વચ્ચે વિરાજમાન ભગવંત જ્યારે ધર્મદેશના આપે છે, ત્યારે સતત આનંદ આપનાર એવો દિવ્ય ધ્વનિ સંભળાયા કરે છે. ચોથું મહાપ્રાતિહાર્ય ચામરો (ચામર શ્રેણી) હે મા આકાશમાં ચામર વીંઝાતા હોય છે. ભગવંત ચાલતા હોય છે ત્યારે ઉપર આકાશમાં ચામરો વીંઝાતા હોય છે અને જ્યારે દેશના વગેરે માટે બેસે છે, ત્યારે તેમની બંને બાજુ ચામરો વીંઝાય છે. ભગવંત જ્યારે 1. મહા. નવ, પૃ. 375. 2. મહા. નવ. પ્રસ્તાવના પૃ. 9. 3. પૃ. 302, લો. 619. 4. અ. ચિ, કાં, 1 શ્લો, 61 ટીકા. અરિહંતના અતિશયો ૨પપ
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy