SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વનિને અપૂર્વ આનંદમાં નિમગ્ન મન વડે દેવગણો તો સાંભળે જ છે, કિંતુ અનુપમ સહજ પરમ સુખના પ્રકર્ષથી જેઓનાં નેત્ર અધિનિર્માલિત થયાં છે, એવાં મૃગલાંઓ પણ તેને તીવ્ર સ્પૃહાથી સાંભળે છે.' ‘સર્વ જીવોના વચનથી અનંતગુણ અધિક ઉપાદેયતાવાળા વચનના અધિપતિ છે સ્વામિનું! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્યધ્વનિને સાંભળે છે, ત્યારે તેઓની ગ્રીવાઓ હર્ષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલિખિત હોય તેવા અતિસ્થિર થઈ જાય છે.” “હે નાથ ! આપનો તે લોકોત્તમ ધ્વનિ માલવકેશિક (માલકોશ) પ્રમુખ ગ્રામરાગા વડે પવિત્રિત-સંવલિત હોય છે. જગતના પરમગુરુ હે જિનેશ્વર દેવ ! કવિઓ અહીં કો: પતિઃ' - તે ધ્વનિનું મૃગલાંઓ વડે પાન કરાય છે,’ એમ એટલા માટે કહે છે કે મૃગલાં ધ્વનિ- રસિક હોય છે. ‘સર્વજ્ઞત્વને કારણે સંગીતના ગ્રામરાગોનાં સર્વસ્વને જાણનાર હું કલાનાથ ! આપ માલકોશ રાગમાં દેશના એટલા માટે આપો છો કે તે રાગ વૈરાગ્યરસ ઉત્પન્ન કરવા માટે અતિસરસ હોય છે.' આ દિવ્યધ્વનિ પ્રાતિહાર્યથી ગર્ભિત ભગવંતની સ્તુતિ કરતાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા કલ્યાણ મંદિર સ્તોત્રમાં કહે છે કે -- स्थाने गभीरहदयोदधिसम्भवायाः, पीयूषतां तव गिरः समुदीरयन्ति / पीत्वा यत: परमसंमदसङ्गभाजो, भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् / / હે સ્વામિન્ ! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાન માં || અમે 5 કહે છે, તે યોગ્ય જ છે. જેવી રીતે મનુષ્ય અમૃતનું પાન કરીને અજ મ ર ર ' , રદ જ રીતે તમારી વાણીનું શ્રોત્રંદ્રિય (કાન) વડે પાન કરીને --- શ્રવ . રાને 1 પ્રાણી મા પરમાનંદના અનુભવને પામીને શીધ્રપણે અજરામરપણાને મોક્ષને પામ છે. કેટલાક ગ્રંથોમાં મળતા 48 ગાથાવાળા “ભક્તામર સ્તોત્ર માં એ પ્રાતિહાર્ચ વિશ ૩પમી ગાથા નીચે મુજબ મળે છે : 1. માનવી વેરાયવ્યક્ત તિસરનો રસવિશેષ: - વી, સ્વ. પ્ર. 5 લાક. 3 અને ગા. 21, આ ગાથામાં ગણિવિદ્યા ગર્ભિત છે. તે વિદ્યા સર્વ મનોરથોને પૂરનાર, સિદ્ધિને આપનાર અને સર્વ ભયોને દૂર કરનારી છે. આ પ્રાતિહાર્ય વિશેનો મંત્ર આ રીતે મળે છે -- >> મનરાત્રિનપ્રતિદીર્થોપશોભિતાય શ્રી નિનાય નમ: | - મહા. નવ. પૂ. 403. 154 અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy