________________ જેમ પ્રલયકાલીન સુર્યની સામ લાકા પોતાની આંખને એક ક્ષણ પણ સ્થિર ન કરી શકે તેમ માદષ્ટિ જીવા ક્ષણ વાર પણ આ ધર્મચક્રાતિશયને જોઈ શકતા નથી. તેઓની આંખ અજાઈ જાય છે. આ જ ધર્મચક્ર સમ્યગ્દષ્ટિ આત્મા માટે અમૃતમય અંજન બની જાય છે. તે-નાની દષ્ટિ તેના ઉપર સ્થિર થઈ જાય છે અને તે વધુ ને વધુ સ્થિર થવા લાગે છે. એ ચક્રના મહાન પ્રભાવથી તેનાં કર્યાંધકારનાં પડલ વિખરાઈ જાય છે અને આત્મા સ્વપ્રકાશથી વધુ ને વધુ પ્રકાશિત થાય છે. આ ધર્મચક્ર તીર્થકર લક્ષ્મીના ભાલનું પ્રશસ્ત તિલક છે.' આ ધર્મચક વિશે ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિતમાં કહ્યું છે કે ''આગળ ચાલતાં ચક્રથી જેમ ચક્રવર્તી શાભ તેમ આગળ ચાલતા અસાધારણ તજવાળા ચક્રથી ભગવાન ઋષભદેવ શોભી રહ્યા હતા. ચક્રવર્તીનું ચક્ર જેમ બતાવે છે કે - “આ છ ખંડના વિજેતા છે. તેમ આ ધર્મચક્ર એ 'બતાવ છે કે - "આ દવાધિદવ ત્રણ ભુવનના વિજેતા છે." ચક્રવર્તન જેમ ચક્ર હોય છે અને ઇન્દ્રને જમ વજ, તેમ સર્વ જીવાના સમસ્ત કર્મશત્રુઓ પર વિજય મેળવવા ભગવંતને ધર્મચક્ર હોય છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે -- "ભગવંત જ્યારે સમવસરણમાં ચતુર્મુખપ વિરાજમાન હોય ત્યારે દરેક સિહાસનની આગળ સોનાના કમળ પર પ્રતિષ્ઠિત એવું એકેક ધર્મચક્ર હોય છે. તે તજમાં સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી હોય છે. તે ધર્મચક્ર એ બતાવે છે કે - આ ભગવાન ત્રણે ભુવનમાં સર્વોત્તમ ચક્રવર્તી ધર્મ ચક્રવર્તી છે. તેનો પ્રકાશ ચારે દિશાઓમાં ફેલાયેલા હોય છે. ભગવંત જ્યારે વિહાર કરતા હોય છે. ત્યારે આ ધર્મચક્ર ઉપર આકાશમાં ચાલે છે.' ધર્મ વરચક્રવર્તી દવાધિદેવ ભગવાન શ્રી તીર્થકરનું ધર્મચક્ર સદા અપ્રતિહત હોય છે. તે કદી પણ નિષ્ફળ ન જ જાય. ચક્રવર્તીના ચક્રનું ફળ તો અનેકાંતિક છે. એટલે કે તે સ્વકાર્ય સાથે અથવા ન પણ સાધે, જેમ ભરતચકીનું ચક્ર બાહુબલિ ઉપર ન ચાલ્યું. આ ધર્મચક્ર પર દૃષ્ટિ પડતાં જ વિરોધીઓના મદ ઓગળી જાય છે. આ ધર્મચક્રનું 1 મિથ્યા થTIIના: સુદામમૃતાઝના I तिलकं तीर्थकृल्लम्या, पुरश्चक्रं तवैधते / / મિથ્યા દ્રષ્ટિ માટે પ્રલય કાલીન સૂર્ય, સમ્યગ્દષ્ટિઓ માટે અમૃતમય અંજન અને તીર્થકર લક્ષ્મીનું તિલક, અવું ધર્મચક, હે પ્રભો ! આપની આગળ ચાલે છે. - વી. ત. પ્ર. 4, શ્લોક-૧. પર્વ 1 , સર્ગ-૬, પૃ. 204 5. કે, લોક છે. તે 30 બ્લા, 20 22. અરિહંતના અતિશયો