SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવું. તેથી અતિશય બરાબર સમજાશે. ભગવંતના મહાન પયાદયથી ત ધર્મચક બ• છે. ભગવંતની હાજરી વિના બધા જ દેવતા ભગા થાય અને ધર્મરાક બનાવ, પો ભગવંતના પુણ્યોદય તેઓ ક્યાંથી લાવે ? ભગવંતની હાજરીમાં તો એક જ દેવભગવંતના પ્રભાવથી સવોત્તમ ધર્મચક્ર બનાવી શકે. આ બધા જ અતિશયોમાં ભગવંતનું ઉદય પ્રાપ્ત તીર્થકર નામકર્મ મુખ્ય છે. તેના જ આ બધા દેવકૃત મહિમા છે. દેવતાઓ ઊંચામાં ઊંચી ભક્તિ કરે છે, છતાં એમ માને છે કે અમે કશું જ કરી શકતા નથી. આ ભગવંત તો અવા મહાન છે કે તેઓ માટે અમે જેટલું કરીએ તેટલું ઓછું જ છે.' લોકોત્તમ પ્રભાવવાળા ભગવાનને સાક્ષાત જાઈ રહેલા કરોડ દેવતાઓનાં મનમાં જે ભક્તિભાવો જાગે છે, તે ભક્તિભાવાનું મૂર્ત સ્વરૂપ. તીર્થંકર નામકર્મના ઉદયનું મૂ સ્વરૂપ, ભગવંતની સર્વોત્તમ પાત્રતાનું મૂર્ત સ્વરૂપ અને ભગવંત પૂર્વના ભવામાં જે કાંઈ સારું કર્યું છે. તેનું મૂર્ત સ્વરૂપ આ અતિશયો અને પ્રાતિહાર્યો છે. શ્રી તીર્થકર ભગવંત સિવાયના બીજા જીવો તેવા પ્રભાવશાળી ન હોવાથી તેઓ વિરા તેવા ઉત્તમ ભક્તિભાવો દેવતાઓના મનમાં ન જાગવાથી, બીજા જીવોને કદાપિ તીર્થકર નામકર્મનો ઉદય ન હોવાથી બીજા જીવોમાં તેવી લોકોત્તમ પાત્રતા ન હોવાથી અને બીજા જીવાએ તેવું સર્વોત્તમ શુભકર્મ કરેલું ન હોવાથી, બીજા જીવોને આ અતિશયોમાંના એક પણ અતિશય કે પ્રાતિહાર્યોમાંનું એક પણ પ્રાતિહાર્ય ત્રણે કાળમાં કદાપિ હોતું નથી. "જેન આ અતિશયો કે આ પ્રાતિહાર્યો હોય તે જ ભગવાન: બીજા કોઈ કદાપિ ભગવાન હોઈ શકે જ નહીં આ સર્વોત્તમ સિંદ્ધાંતનાં મૂર્તિમાન સ્વરૂપ આ અતિશયો અને આ પ્રાતિહાર્યો છે. આવા ભગવાન સિવાયના બીજા કોઈને પણ ભગવાન તરીકે માનવા આનું જ નામ અનેક ભવસંચિત મિથ્યાત્વનો ઉદય છે. ખરી રીતે તો આવા અતિશયો અને આવા પ્રાતિહાર્યા વિના અન્ય કોઈ પણ ભગવાન બનવા માટે લાયક જ નથી. આ ધર્મચક્ર અતિશયનું વર્ણન કરતાં શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - आगासगयं चक्कं / આકાશમાં દેદીપ્યમાન ચક્ર હોય છે. ભગવંત વિહાર કરતા હોય છે ત્યારે ભગવંતની સાથે સાથે ઉપર આકાશમાં ધર્મચક્ર ચાલે છે. આ અતિશય દેવકૃત હોવાથી આ ધર્મચક્રન દેવતાઓ ઉપર ચલાવે છે. આ ધર્મચક્ર અત્યંત પ્રકાશમાન આરાઓથી સમૃદ્ધ હોય છે અને આ ચક્રમાંથી ફેલાતું તેજ અંતરીક્ષમાં દશે દિશાઓને પ્રભાવિત કરે છે. 1. સૂત્ર-૩૪. અરિહંતના અતિશયો 207
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy