SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણ- ધ્યાન પણ શત્રુના મદને દૂર કરે છે.' અનેક મહાન વિદ્યાઓમાં આ ધર્મચકનું ધ્યાન હોય છે. તેનું વર્ણન કરતા મંત્રાલરાથી તે ધ્યાન ગર્ભિત હોય છે. આ ધર્મચક્રનું ધ્યાન મિથ્યાત્વને હરે છે. એટલું જ નહીં પણ તેનું વિશિષ્ટ ધ્યાન કરનાર સાધક સર્વત્ર અપરાજિત થાય છે. રિદા નમો સ્તોત્રમાં કહ્યું છે કે તે -- અહંતુ દેવેન્દ્ર વંદિત મહાન ભગવાન મહાવીર સ્વામીને અમારો નમસ્કાર થાઓ કે - જેનું આ શ્રેષ્ઠ વર ધર્મચક્ર સૂર્ય સમાન તેજસ્વી છે, તેજથી પ્રજ્વલિત એવું તે જેઓની આગળ ચાલી રહ્યું છે. જે આકાશ પાતાલ અને સકલ મહીમંડળને પ્રકાશિત કરી રહ્યું છે અને જે ત્રણે લોકમાં રહેલ મિથ્યાત્વ અંધકારને દૂર કરી રહ્યું છે. ઉપર જેનો ભાવાર્થ કહેવામાં આવેલ છે. તે ગાથાઓ આ રીત છે : अह अरहओ भगवओ महइमहावीरवद्धमाणस्स / पणयसुरेसरसेहरवियलियकु-समच्चियकमस्स' / / 18 / / जस्स वरधम्मचक्कं दिणयरबिंब व भासुरच्छायं / तेएण पज्जलंतं गच्छइ पुरओ जिणिंदस्स / / 19 / / आयासं पायालं सयलं महिमंडलं पयासंतं / मिच्छत्तमोहतिमिरं हरेइ तिण्हंवि लोयाणं / / 20 / / - ન સ્વી પ્રા. વધુ 27 આ ગાથાઓમાં વિદ્યા ગર્ભિત છે. તે વિદ્યા આ રીતે છે : ॐ नमो भगवओ महइ महावीरवद्धमाणसामिस्स जस्स वरधम्मचक्कं जलंत गच्छइ आयासं पायालं लोयाणं भूयाणं जूए वा रणे वा रायंगणे वा वारणे बंधणे मोहणे थंभणे सव्वसत्ताणं अपराजिओ भवामि स्वाहा / આવી જાતની ધર્મચક્રને દર્શાવતી વિદ્યાઓનું ધ્યાન અનેક યંત્રો અને ર કારમાં જોવામાં આવે છે, તે બધાં સ્થળોનો નિર્દેશ અહીં કરવો આવશ્યક નથી. એટલી વાત સુનિશ્ચિત છે કે ધર્મચક્રનું ધ્યાન કરનાર સાધક સર્વત્ર અપરાજિત થાય છે. પૂર્વના કાળમાં આચાર્યો વગેરે જે મહાપ્રભાવશાળી હતા. તે આવી જાતની વિદ્યા મા જ્ઞાતા હતા, તેથી. 1. મૃતપ પ્રતિપક્ષમાપદમ્ | - લાકે પ્ર, સ 30, કલા, 2 1 , 2. ન. સ્વા. પ્રા. વિ. પૃ. 200. 3. જુઓ ન. સ્વા. પ્રા. વિ. પૂ. ર૧૨ પછીનું શ્રી પંચનમરકારચક્રનું ચિત્ર. વલય . અરિહંતના અતિશયો 108
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy