________________ 21. પ્રશસ્યતા : ઉપરના ગુણોના કારણે પ્રશંસાને પામેલ (ઉપગત શ્લાઘ). 22. અમર્મવેધિતા : બીજાઓના મર્મને ખુલ્લાં ન પાડનારું અને તેથી બીજાઓના હૃદયને નવીંધનારું. (અપરમર્મવધિ). 23. ઔદાર્ય: ઉદાર-અતુચ્છ અર્થને કહેનારું (ઉદાર). 24. ધર્માર્થ પ્રતિબદ્ધતા ધર્મ અને અર્થથી અરહિત (અર્થધર્માભ્યાસાનપત). 25. કારકાદિ-અવિપર્યાસ : કારક, કાલ, વચન, લિંગ વગેરેના વ્યત્યય (વિપર્યાસ) રૂપ વચનદોષથી રહિત (અનાનીત) . 29. વિશ્વમાદિવિયુક્તતા: વિભ્રમ, વિક્ષેપ, કિલિકિંચિત વગેરે મનના દોષોથી રહિત. વિભ્રમ=વક્તાના મનની ભ્રાંતિ. વિક્ષેપ=કહેવા યોગ્ય અર્થ પ્રત્યે વક્તાની અનાસક્તતા. કિલિકિંચિત=રોષ, ભય, અભિલાષ વગેરે ભાવોની એકસાથે અથવા અલગ અલગ મનમાં વિદ્યમાનતા. (વિભ્રમ-વિક્ષેપ-કિલિકિંચિતાદિ વિમુક્ત.) 27. ચિત્રકૃત્ત્વ કહેવાતા અર્થના વિષયમાં શ્રોતાઓમાં અવિચ્છિન્ન (સતત) કૌતુક કુતૂહલને ઉત્પન્ન કરતું (ઉત્પાદિતાવિચ્છિન્ન-કૌતૂહલ). 28. અદ્ભુત 29. અનતિવિલંબિતા : અતિવિલંબથી રહિત (બે વર્ગો, શબ્દો, પદો, વાક્યોની વચ્ચે અતિવિલંબ થાય તો સાંભળનારને સમજવામાં મુશ્કેલી પડે.) 30. અનેકજાતિવૈચિત્ર્ય : જાતિઓ એટલે વિવક્ષિત વસ્તુનાં સ્વરૂપનાં વર્ણનો. વર્ણન કરાતી વસ્તુનાં સ્વરૂપનાં વર્ણનોની વિચિત્રતા અને વિવિધતાથી યુક્ત. વસ્તુ | સ્વરૂપનાં વિચિત્ર અને વિવિધ વર્ણનોથી યુક્ત અનેક જાતિ સંશ્રયથી (વિચિત્ર). 31. આરોપિતવિશેષતા : બીજાં વચનોની અપેક્ષાએ વિશિષ્ટ (આહિતવિશેષ). 32. સર્વપ્રધાનતા : સત્ત્વ સાહસ સાહસની પ્રધાનતાવાળું (સત્ત્વ-પરિગૃહીત). 33. વર્ણ-પદ-વાય-વિવિક્તતા વર્ણો, પદો અને વાક્યોના ઉચ્ચારની વચ્ચે જેટલું સમુચિત અંતર જોઈએ તેટલા અંતરવાળું. સ્પષ્ટ વર્ગો, પદો અને વાક્યોવાળું (સાકાર). 34. અત્રુચ્છિત્તિ H વિવક્ષિત અર્થની સંપૂર્ણ સુંદર સિદ્ધિ ન થાય ત્યાં સુધી અખંડ રીતે તેને (વિવક્ષિત અર્થને) વિવિધ પ્રમાણથી સિદ્ધ કરતું. અખંડ ધારાબદ્ધ (અવ્યુચ્છેદિ). 35. અખેદિવ: કહેતી વખતે વક્તાને જેમાં ખેદ-શ્રમ-આયાસ નથી એવું. સુખપૂર્વક કહેવાતું (અપરિખેદિત). અરિહંતના અતિશયો