SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમવાયાંગ સૂત્રની ટીકાનાં નામોનો (જે પૂર્વે કૌસમાં આપ્યા છે) ક્રમશઃ સંગ્રહ આ રીતે છે : 'વચન ગુણવાનું કહેવું જોઈએ. તે આ રીતે : 1. સંસ્કારવતું. 2. ઉદાત્ત. 3. ઉપચારોપેત. ૪.ગંભીર શબ્દ. 5. અનુનાદિ. 6. સરલ. 7. ઉપનીત રાગ. 8. મહાર્થ. 9. અવ્યાહતપૌર્વાપર્ય.૧૦.શિષ્ટ.૧૧.અસંદિગ્ધ.૧૨.અપહૃતાન્યોત્તર.૧૩. હૃદયગ્રાહિ. 14. દેશકાલાવ્યતીત. 15. તત્ત્વાનુરૂપ. 11. અપ્રકીર્ણપ્રસૃત. 17. અન્યોન્યપ્રગૃહીત. 18. અભિજાત. 19. અતિ સ્નિગ્ધ મધુર. ૨૦.અપરમર્મવિદ્ધ. ૨૧.અર્થધર્માભ્યાસાનપત. 22. ઉદાર. 23. પરનિંદા-ત્મોત્કર્ષવિપ્રયુક્ત. 24. ઉપગતશ્લાઘા. ૨૫.અનપનીત. રક. ઉત્પાદિતાવિચ્છિન્નકૌતુહલ. 27. અદ્ભુત. 28. અનતિવિલંબિત. 29 વિભ્રમવિક્ષેપકિલિકિંચિતાદિવિમુક્ત. 30. અનેકજાતિ સંશ્રયથી વિચિત્ર. 31. આઈતિવિશેષ. 32. સાકાર. 33. સત્ત્વપરિગ્રહ. 34. અપરિખેદિત. 35. અવ્યુચ્છેદ. આવા ગુણોવાળું વચન મહાનુભાવોએ (મહાન ભાગ્યવાળા પુરુષોએ) કહેવું જોઈએ.' જગતમાં જેટલા પણ મહાનુભાવ પુરુષો છે, તેના સ્વામી ભગવાન તીર્થકર છે. મહાનુભાવ મહાત્માઓમાં અગ્રણી ગણધર ભગવંતો હોય છે. તેમનું વચન ઉપર કહેલ 35 ગુણોથી સહિત હોય છે. પરંતુ તે જ 35 ગુણો ભગવાન તીર્થકરમાં અતિશય કહેવાય છે, કારણ કે બીજા બધા કરતાં ભગવંતમાં તે ગુણો અનંતગણ અધિક હોય છે. તેનું કારણ એ જ છે કે ભગવંતનું પુણ્ય બીજા જીવો કરતાં અનંતગણ અધિક હોય છે. તૃતીય કર્મક્ષયજ અતિશય ભામંડલ भामण्डलं चारु च मौलिपृष्ठे विडम्बिताहर्पतिमण्डलथि / ભા=પ્રભા. મંડલ=વર્તુળ. ચારુ=મનોહર. મૌલિપૃષ્ઠ=મસ્તકના પાછળના ભાગમાં. વિ. સૂર્યમંડલની શોભા કરતાં અત્યંત અધિક શોભાવાળું, ભગવંતના મસ્તકના પાછળના ભાગમાં અત્યંત મનોહર અને સૂર્યમંડલની શોભા કરતાં અત્યંત અધિક શોભાવાળું ભામંડલ હોય છે. 1. અહીંથી આપેલ વિષય સમવાયાંગ સૂત્રની ટીકાન જાણવો. 2. અહીં સુધીના વિષય શ્રી સમવાયાંગ સૂત્રની ટીકાનો છે. 3. અ. ચિ. કાં. 1, શ્લો. પ૯. 98 અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy