________________ ર 63E 88888888888888999999999999999BBE जह जउ अग्गिणा तप्पंतं गलति, एवं जहत्तसंजमजोगस्स अकरणतो चरितं गलति / / .88888888 3888888888888888888888 જેમલાખ-તુ(પૃથ્વીનો રસ,અગ્નિથી તપતો ઓગળે છે, તેમ યથોક્ત સંયમયોગોને નહિ કરતા, ન આચરતા જીવનું ચારિત્ર ગળે છે, ઓગળે છે, નાશ પામે છે. શાસ્ત્રમાં અસંયમ યોગની પ્રવૃત્તિને જેમ અગ્નિની ઉપમા આપી છે, એ રીતે સંયમયોગોની પ્રવૃત્તિને પણ અગ્નિની ઉપમા આપી છે. એ જ રીતે વિશિષ્ટપણે ભાવિત આત્મા સિવાય અસંયમ યોગોવાળા ગૃહસ્થો વચ્ચે રહેવું તેને પણ અગ્નિ સાથે સરખાવાયું છે. તેથી સંયમના રક્ષણ અને વૃદ્ધિ માટે 1) અસંયમ યોગોની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. અનુચિત પ્રવૃત્તિ અને અજયણાવાળી પ્રવૃત્તિઓને પણ આમાં લેવી. 2) સંયમના દરેક યોગોમાં ઉલ્લાસપૂર્વક, ઔચિત્યપૂર્વક અને જયણાપૂર્વક પ્રવૃત્ત થવું. 3) ગૃહસ્થો અને અનુચિત પ્રવૃત્તિવાળા કે અજયણાવાળી પ્રવૃત્તિવાળા સાથે ન રહેવું, વધારે વ્યવહાર ન કરવો. આ ત્રણ નિયમ જે પાળે છે તેનું સંયમ સ્થિર થાય છે, મજબૂત થાય છે, વધતું જાય છે. જેમ સંયમયોગ અને અસંયમયોગ બન્ને પરસ્પર વિપરીત હોય છે, ઔચિત્ય અને અનૌચિત્ય બન્ને પરસ્પર વિરોધી હોય છે, યતના અને અયતના બન્ને પરસ્પર વિલક્ષણ છે, તેમ સાધુની સાધુતા અને ગૃહસ્થની સંસારિતા બન્ને પણ પરસ્પર આચાર અને ઉદેશથી ભિન્ન હોય છે. જ્યાં સુધી જીવના ગુણોના પરિણામ, આચારના પરિણામ જતુ જેવા ઢીલા છે ત્યાં સુધી ઉપરની 3 વાતનો અમલ કરે તે સંયમમાં આગળ વધે, મજબૂત બને અને એકદમ સ્થિર થાય. જે જીવો વિવક્ષિત ગુણોના જે જે આચાર અને મર્યાદાઓ છે, તેમાં ઢીલા પડે-તે આચાર પાળે-ન પાળે, અર્ધા પાળે, જેવા તેવા પાળે તો તે જીવોના તે તે આચારો ધીરે ધીરે ઘટતા જાય, દોષના આચારો વધતા જાય અને એના કારણે ગુણો બહારથી નષ્ટ પ્રાયઃ થાય અને અંતરથી પણ પ્રાયઃ હોય નહિ અને કદાચ હોય તો પણ ઘસાતા જતા હોય અને ધીરે ધીરે નાશ પામે.