________________ માટે ઇચ્છાને નિરંકુશ વધવા ન દેવી, કલ્પનાઓના શેખચલ્લી ન બનવું, ઇચ્છાને આધીન ન બનવું, ધારેલું કોઈ પણ ભોગે કરવાનો કદાગ્રહ ન રાખવો, પરંતુ ઇચ્છાને રોકવી, યોગ્ય વળાંક આપવો અને યોગ્ય કાળે યોગ્ય રીતે યોગ્ય કાર્ય કરવું. બાકી શક્તિ-સંયોગ અને સામગ્રીના અભાવમાં સારા કાર્યની પણ ઉતાવળને આર્તધ્યાન કહ્યું છે. એથી સંસારના માન, ખાનપાન, કુટુંબ વ્યવહાર વગેરેમાં મનને સ્વસ્થ, શાંત અને સંતોષી બનાવવું એ જ આત્મસંયમ અને મોક્ષપ્રાપ્તિનો સાચો માર્ગ છે. જિક