________________ માટે, ક્રોધની લોન ક્યારેય પણ લેવા જેવી નથી. તે લોનને ચૂકવતી વખતે બાહ્ય-આંતર વૈભવ વગેરે બધું લૂંટાવી દેવું પડશે. એક વસ્તુ નક્કી રાખો કે “જે વસ્તુ મારી નથી, મારી પાસે મૂળભૂત રીતે રહેલી નથી તે વસ્તુ, તેવી કોઈ પણ ચીજ મારે લેવી નથી. કારણ કે કર્મસત્તા પાસેથી લોન રૂપે લીધેલી તે વસ્તુનું ચૂકવણું મને ખૂબ જ ભારે પડી જવાનું છે.” એટલે જ આનંદઘનજી મહારાજ કહે છે કે - , મૂલડો થોડો ને વ્યાજડો ઘણો. પ્રટે ) ક્રોધની લોન તરીકેની મૂડી તો તમે બહુ થોડી લીધી હશે. પણ તેનું વ્યાજ કર્મસત્તા બહુ ભારે ચડાવે છે. સામાન્ય વ્યાજ પણ નહીં, ચક્રવૃદ્ધિ વ્યાજ પણ નહીં એના કરતા ભયંકર વ્યાજના દરો છે. રૂના મોટા ઢગલાને સાફ કરી નાખવા જેમ એક નાની ચિનગારી પર્યાપ્ત છે. તેમ સાધનાના ખડકલાને બાળી નાખવા માટે એક ક્રોધની ચિનગારી જ પર્યાપ્ત થઈ પડશે. ક્રોધ સ્વને બાળે, પરને બાળે, કોડ પૂર્વના ચારિત્રને બાળે... અહી.. હા.. કેવલ વિનાશ. ક્રોધનો સ્વીકાર એટલે સામે ચાલીને જાતનો વહોરેલો સર્વનાશ. સક્ઝાયમાં તમે સાંભળ્યું હશે - આગ ઉઠે જે ઘર થકી, પહેલું નિજ ઘર બાળે; જળનો જોગ જો નવિ મળે, તો પાસેનું પ્રજાળે. ક્રોધે કોડ પૂરવ તણું, સંયમ ફળ જાય;------- ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. આગની ચિનગારી ભલે નાની હોય પણ જો તેને શમાવવામાં ન આવે તો બહુ ભારે હોનારત સર્જી શકે છે. ક્રોધનું પણ તેવું જ છે. જો શમાવવામાં ન આવે તો તે ચિનગારીમાંથી ઠેઠ દાવાનળનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ચંડકૌશિક સર્પ આનું સ્પષ્ટ ઉદાહરણ છે. હા ! શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના સંયોગથી ક્રોધની આગ વધતી અટકી ગઈ. પણ જો તમે બેસુમાર ક્રોધ કરે જ રાખતા હો તો તે ક્રોધની 67