SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આગ ઠારવા આવશે કોણ ? તમારી પાસે નથી તો તેવા પ્રકારની તપની સાધના, સંયમની સાધના કે બીજી કોઈ પણ સાધના. તમને તો કોણ બચાવી શકશે ? ગુસ્સાના પ્રભાવે જ્યારે વાઘ-વરુના ભવ મળશે ત્યારે કોણ સમજાવવા આવવાનું ? અને આ ભવમાં સમજણ છે છતાં ક્રોધ છોડવાની તૈયારી ન હોય તો તે ભવમાં કોઈ સમજણ આપનારું મળશે છતાં ક્રોધ કેવી રીતે છૂટશે ? તેથી જેમ થોડા પણ અગ્નિને બૂઝાવી દેવામાં જ કલ્યાણ છે, થોડા પણ દેવાને શરૂઆતમાં જ ચૂકવી દેવામાં શ્રેય છે, થોડા પણ ઘાને ઉગતો જ રૂઝવી દેવામાં આરોગ્ય છે, તેમ કષાયોને ઉગતા જ ડામી દેવામાં પરમ કલ્યાણ છે. આ વાત દિલમાં કોતરી રાખજો. બાકી ક્રોધની લોન મોહની પાસેથી લેવામાં જ તમારે રચ્યા-પચ્યા રહેવું હોય તો થોડો હિસાબ માંડી દો. જો પાંચ વર્ષે રકમ ડબલ થતી હોય તે રીતે ફક્ત 10 રૂા. ની લોન તમે લો તો 100 વર્ષે 1 કરોડથી વધુ રૂપિયા ચૂકવવાના થાય. માનો કે કર્મસત્તાને ત્યાં દરેક વસ્તુ બીજા દિવસે ડબલ ચૂકવવાની થાય છે અને જો કર્મસત્તા પાસેથી ફક્ત 1 પૈસાની લોન લો તો 1 મહિનાના અંતે શું રીઝલ્ટ આવે ? તે જુઓ - એિક ઉપમાથી ફક્ત આ સમજાવ્યું છે. હકીકત તો આનાથી પણ વધુ ભયંકર હોઈ શકે છે.] દિવસે દિવસે ડબલ લેણું કરનાર કર્મસત્તા પાસેથી લીધેલ 1 પૈસા જેટલા ક્રોધનું સરવૈયું તારીખ રકમ 00.01 પૈસો 00.02 પૈસા 00.04 પૈસા 00.08 પૈસા 20.16 પૈસા ૦૦.૩ર પૈસા 68
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy