________________ દ્રવ્યથી ક્ષેત્રથી | કાળથી ભાવથી ભવ-૧ | નાના બાળ સાધુ | ઉપાશ્રયની અંદર જ સાંજના સમય ફક્ત ચમચમ સાધુનો ભવ ઉપર જ ગુસ્સો. | ગુસ્સો. પૂરતો ગુસ્સો. કરાવી દેવાની વૃત્તિ રૂપ ગુસ્સો. ભવ-ર | બગીચાને આખા આશ્રમમાં તાપસ થયા પછીના સજા કરવાની હદ કૌશિક | બગાડનાર બધાં | ગુસ્સો. બધાં વર્ષોમાં સુધીનો ગુસ્સો. તાપસનો ભવ ઉપર ગુસ્સો. વ્યાપક ગુસ્સો. ભવ-૩ | જંગલમાં અને | આખા જંગલ અને આખી જીંદગી અત્યંત ક્રૂર ચંડકૌશિક | આકાશમાં રહેતી | આકાશને વ્યાપીને ગુસ્સો. લેશ્યાથી સળગાવી સાપનો ભવ | સમગ્ર જીવસૃષ્ટિ | ગુસ્સો. નાંખવા સુધીનો ઉપરનો ગુસ્સો. ગુસ્સો. તેમ ન હતી. આખા શરીરની આરપાર કીડીઓને પસાર કરી. શરીર ચાળણીની જેમ ચળાઈ ગયું. કેવી જાલિમ વેદના ! કીડી એક ચટકો ભરે તોય સહી શકાતો નથી. આ તો એક સાથે સેંકડો કીડીઓ શરીરનું માંસ ખાતી-ખાતી એક સાઈડથી પ્રવેશે અને આરપાર પાસ થઈ સામેની બાજુએ નીકળે. છતાં સમાધિ અકબંધ જાળવી રાખવાની. કેવી ભયાનક વેદના ? કલ્પના કરતાં ય ધ્રુજારી છૂટી જાય. પૂરેપૂરી વસૂલાત કર્મસત્તાએ કરી. દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેથી વિસ્તાર નથી કરવો. આ તો ભગવાન મહાવીરનો પ્રતાપ કે આ પરંપરા આગળ ચાલતી અટકાવી દીધી. ચંડકૌશિકની ગાડીને સીધે પાટે ચડાવી દીધી. બાકી સેંકડો અને અનંતા ભવો પછી પણ આ દુકનો અંત આવવો મુશ્કેલ હોય છે. ક્રોધ કરતી વખતે આપણે લોન લઈએ છીએ. અને તે પણ અમાનુષી વ્યાજદરવાળી. જો આવો ખ્યાલ હોય તો ગુસ્સો ઓસર્યા વિના રહે નહીં. એક ક્રોધ નામના કષાયની સામે જ કેવું ભયંકર વ્યાજ કર્મસત્તા રાખે છે તે શાસ્ત્રકારો જણાવે છે - હજારો વર્ષ સુધી માસક્ષમણના પારણે માસક્ષમણ કરવા દ્વારા જે પુણ્ય એકઠું થયું હોય તે બધું ક્રોધ કરવા દ્વારા ખલાસ થઈ જાય. અરે ! ક્રોડ પૂરવ તણું સંયમ પણ નકામું જાય. વૈમાનિક દેવલોક સિવાય ક્યાંય ન જનારા સાધુ ભગવંતને પણ ક્રોધ નરકમાં ધકેલી શકે છે. કર્મસત્તા હિસાબ પૂરેપૂરો વસૂલ કરે છે. 66